India

દિલ્હીમાં ગમે ત્યારે પૂર ત્રાટકે તેવી આશંકા, ખતરાના નિશાનથી ઉપર પહોંચી યમુના નદી, તંત્ર એલર્ટ

By GS TEAM
9 Aug 20252 mins read
TukuTouch Logo
દેશની રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો વધી ગયો છે. શનિવારે સવારે 9 વાગ્યે યમુના નદીનું પાણીનું સ્તર ઓલ્ડ રેલવે બ્રિજ પર 204.40 મીટર પર પહોંચી ગયું હતું, જે 204.50 મીટરના ભયના નિશાનથી થોડુંક જ નીચે છે. તેને ગંભીરતાથી લેતા, વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સતર્ક રહેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં રેડ એલર્ડ વચ્ચે ભારે વરસાદ પણ થતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ગમે ત્યારે પૂર ત્રાટકે તેવી આશંકા, ખતરાના નિશાનથી ઉપર પહોંચી યમુના નદી, તંત્ર એલર્ટ

Delhi flood News : દેશની રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો વધી ગયો  છે. શનિવારે સવારે 9 વાગ્યે યમુના નદીનું પાણીનું સ્તર ઓલ્ડ રેલવે બ્રિજ પર 204.40 મીટર પર પહોંચી ગયું હતું, જે 204.50 મીટરના ભયના નિશાનથી થોડુંક જ નીચે છે. તેને ગંભીરતાથી લેતા, વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સતર્ક રહેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં રેડ એલર્ડ વચ્ચે ભારે વરસાદ પણ થતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. 



પાણીનું સ્તર કેમ વધી રહ્યું છે?

સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાનું મુખ્ય કારણ વઝીરાબાદ અને હાથિનીકુંડ બેરેજમાંથી દર કલાકે મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે." આ ઉપરાંત, હરિયાણા અને ઉત્તરાખંડના ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદે પણ નદીના પાણીના સ્તરમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.



કેટલું પાણી છોડાઈ રહ્યું છે 

પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, વઝીરાબાદ બેરેજમાંથી દર કલાકે લગભગ 30,800 ક્યુસેક અને હાથિનીકુંડ બેરેજમાંથી 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીને દિલ્હી પહોંચવામાં સામાન્ય રીતે 48 થી 50 કલાકનો સમય લાગે છે. ઉપરના વિસ્તારોમાંથી ઓછું પાણી છોડવામાં આવ્યું હોવા છતાં, દિલ્હીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.



કેટલું સ્તર જોખમી? 

દિલ્હીમાં યમુના માટે ચેતવણીનું સ્તર 204.50 મીટર છે, જ્યારે ભયનું ચિહ્ન 205.30 મીટર છે. જો પાણીનું સ્તર 206 મીટર સુધી પહોંચે છે, તો શહેરમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ થશે. જૂનો રેલ્વે બ્રિજ યમુનાના પ્રવાહ અને પૂરના જોખમને માપવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

તંત્ર એલર્ટ થયું  

પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તમામ જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સંબંધિત એજન્સીઓને નદી કિનારાના વિસ્તારો પર નજર રાખવા અને કટોકટી માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. દિલ્હીવાસીઓને નદીની આસપાસ સાવધ રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.