'ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?', વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Election Commission: બિહારમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચાલી રહેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે દેશના દરેક નાગરિકને પાંચ સવાલ પૂછ્યા અને ખાસ સુધારણા કાર્યમાં સહયોગ માંગ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ સવાલોનો હેતુ વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજી શકાય.
ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મહત્ત્વપૂર્ણ સવાલ
1. વોટર લિસ્ટની ગહન તપાસ થવી જોઈએ કે નહીં?
2. મૃતકોના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ કે નહીં?
3. જો કોઈનું નામ વોટર લિસ્ટમાં બે કે તેથી વધુ જગ્યાએ હોય, તો શું તેને એક જ જગ્યાએ રાખવું જોઈએ કે નહીં?
4. જે લોકો બીજી જગ્યાએ ગયા છે તેમના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
5. શું ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ કે નહીં?
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
ચૂંટણી પંચને સાથ આપવા આહ્વાન
ચૂંટણી પંચના જણાવ્યાનુસાર, આ સવાલોનો તમારો જવાબ 'હા' હોય, તો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું તૈયાર કરવાના આ મુશ્કેલ કાર્યમાં ચૂંટણી પંચને સાથ આપો. વોટર લિસ્ટને છેડછાડ વિનાનું અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે, છેલ્લા છ મહિનામાં 28 નક્કર પગલાં લેવામાં આવ્યા છે અને તમામ પક્ષો સાથે વાતચીતની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.
રાજકીય પક્ષો સાથે 4719 બેઠકો
છેલ્લા છ મહિનાથી ચૂંટણી પંચે પેટા વિભાગ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષો સાથે વ્યવસ્થિત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં, પેટા વિભાગીય મતદાર નોંધણી અધિકારીઓ (ERO)થી લઈને રાજ્ય સ્તરના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સુધીના તમામ રાજ્યો દ્વારા રાજકીય પક્ષો સાથે 4719 બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં વિવિધ પક્ષોના કુલ 28,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકોમાંથી, 40 બેઠકો મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા, 800 બેઠકો જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા અને 3879 બેઠકો મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યોજાઈ હતી.








