Get The App

ડીવાય ચંદ્રચૂડ ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ નીમાયા

Updated: Oct 17th, 2022

GS TEAM


Google News
Google News
ડીવાય ચંદ્રચૂડ ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ નીમાયા 1 - image


- પિતા પણ ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા

- ચંદ્રચુડ સુપ્રીમના કેટલાય મહત્વના ચુકાદા અને બેન્ચનો હિસ્સો રહી ચૂક્યા છે 

નવી દિલ્હી : સોમવારે ડીવાય ચંદ્રચુડની ભારતના ૫૦માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી, એમ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૯મી નવેમ્બરના રોજ તેમની મુખ્ય ન્યાયાધીશ તરીકે સોગંદવિધિ કરાવશે. તેઓ ન્યાયાધીશ યુયુ લલિતનું સ્થાન સંભાળશે, જેમનો કાર્યકાળ ૭૪ દિવસનો હતો. 

આ જાહેરાત પછી કાયદાપ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે હું ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને ૯મી નવેમ્બરની શપથવિધિ માટે મારી શુભેચ્છા પાઠવું છું. ગયા સપ્તાહે સીજેઆઇ લલિતે ન્યાયાધીશ ચંદ્રચુડની તેમના અનુગામી તરીકે ભલામણ કરી હતી, તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર ન્યાયાધીશોમાં એક છે. 

ન્યાયાધીશ ચંદ્રચુડ કેટલીય બંધારણીય બેન્ચોનો હિસ્સો રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અયોધ્યા જમીન વિવાદ, રાઇટ ટુ પ્રાઇવસી અને એડલ્ટરીને લગતા કેસોના ચુકાદામાં અને બંધારણીય બેન્ચોનો મહત્વનો હિસ્સો રહી ચૂક્યા છે. 

યોગાનુયોગ એવો છે કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો તે જ દિવસે તે કાર્યભાર સંભાળશે. ન્યાયાધીશ ચંદ્રચુડ ૧૩ મે ૨૦૧૬ના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્થાન પામ્યા હતા અને હવે મુખ્ય ન્યાયાધીશ તરીકેનો તેમનો સમયગાળો બે વર્ષનો રહેશે. તેઓ ૧૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે. 

તેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી લાંબો સમય કામગીરી બજાવનારા મુખ્ય ન્યાયાધીશ વાય વી ચંદ્રચુડના પુત્ર છે. તેમણે ૨૨ ફેબુ્રઆરી ૧૯૭૮થી ૧૧ જુલાઈ ૧૯૮૫ સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. ન્યાયાધીશ ચંદ્રચુડ કેટલાય ઐતિહાસિક ચુકાદાઓનો હિસ્સો રહી ચૂક્યા છે.

તેમા ગે અને લેસ્બિયન સંબંધોને ફોજદારી ગુનામાંથી બહાર મૂકવા, આધાર સ્કીમની યોગ્યતા અને સબરીમાલા જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. તાજેતરમાં બેન્ચે એમપીટીના આપેલા ચુકાદામાં અપરીણિત મહિલાને આવરી લીધી અને તેના ૨૦થી ૨૪ સપ્તાહ સુધીના ગર્ભને પણ દૂર કરવાની મંજૂરી આપી તે ચુકાદાનો પણ સમાવેશ થાય છે. 

Tags :