India

બેવડી નાગરિકતાનો મામલો: રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક

By GS TEAM
18 Apr 20262 mins read
TukuTouch Logo
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કથિત બેવડી નાગરિકતાના કેસમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના, ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી દીધી છે. શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ આદેશમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે શુક્રવારે સુનાવણી દરમિયાન અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું આ બાબતમાં વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી) ને નોટિસ આપવાની જરૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેવડી નાગરિકતાનો મામલો: રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક

Rahul Gandhi Dual Citizenship: અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કથિત બેવડી નાગરિકતાના કેસમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના, ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી દીધી છે. શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ આદેશમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે શુક્રવારે સુનાવણી દરમિયાન અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું આ બાબતમાં વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી) ને નોટિસ આપવાની જરૂર છે.

આગામી સુનાવણી માટે 20 એપ્રિલે

આદેશમાં કહેવામાં આવ્યું છે કે વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે નોટિસ જાહેર કરવાની કોઈ જરૂર નથી, ત્યારબાદ ઓપન કોર્ટમાં FIR નોંધવાનો વિગતવાર આદેશ પસાર કરી દેવામાં આવ્યો હતો. જો કે પોતાના ઉક્ત આદેશના ટાઈપ થવા અને તેના પર હસ્તાક્ષર થતા પહેલા જ ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ જોયું કે અલ્હાબાદ હાઈકોર્ટની પૂર્ણ પીઠે વર્ષ 2014માં પસાર કરેલા એક નિર્ણયમાં જણાવ્યું છે કે FIR નોંધવાની માંગ કરતી અરજીઓ ફગાવી દેવા પર રિવિઝન પિટિશન જ ટકી શકે છે અને આવી અરજી પર પ્રસ્તાવિત આરોપીને નોટિસ મોકલવી અનિવાર્ય છે. ન્યાયાલયે કહ્યું કે આ કાયદાકીય સ્થિતિને જોતા વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી)ને નોટિસ જાહેર કર્યા વિના મામલાનો નિર્ણય કરવો યોગ્ય નથી. જેથી ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી આગામી સુનાવણી માટે 20 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

કથિત બેવડી નાગરિકતાના કેસમાં FIR નોંધવાનો આપ્યો હતો આદેશ

ઉલ્લેખનીય છે કે કર્ણાટક નિવાસી અરજદાર એસ. વિગ્નેશ શિશિરની અરજી પર ન્યાયાલયે શુક્રવારે રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત બેવડી નાગરિકતાના કેસમાં FIR નોંધી તપાસ કરવાનો આદેશ ઓપન કોર્ટમાં ડિક્ટેટ કર્યો હતો. અરજદારે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ વિવિધ ગંભીર આરોપો લગાવ્યા છે અને મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે. અરજદારની અરજીને નીચલી કોર્ટ ફગાવી ચૂકી છે.

આ પણ વાંચો: 'અમે તેમને હરાવી દીધા...', તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી

લખનઉની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી હતી

અરજદારે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ વિવિધ ગંભીર આરોપો લગાવ્યા છે અને મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ પહેલા રાયબરેલીની વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં અરજદારની વિનંતી પર 17 ડિસેમ્બર 2025ના રોજ હાઈકોર્ટની લખનઉ બેંચે આ પ્રકરણને રાયબરેલીથી લખનઉ સ્થાનાંતરિત કરી દીધું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરી 2026ના રોજ લખનઉની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી હતી, જેની સામે હવે હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં મામલાની સુનાવણી ચાલી રહી છે.