Get The App

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવતનું 89 વર્ષની વયે થયું નિધન

દેવીસિંહ શેખાવતે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યો

Updated: Feb 24th, 2023

GS TEAM

Google News
Google News
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવતનું 89 વર્ષની વયે થયું નિધન 1 - image

Image: Twitter



પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવતનું આજે 89 વર્ષની વયે અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, શેખાવતે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકથી તેમનું નિધન થયું છે.  શેખાવતના પરિવારમાં તેમની પત્ની પ્રતિભા પાટીલ અને બે બાળકો - એક પુત્ર અને એક પુત્રી છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 
દેવીસિંહ શેખાવતના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “દેવીસિંહ શેખાવતજીના નિધન પર મારા વિચારો પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલજી અને તેમના પરિવાર સાથે છે. તેમણે તેમના વિવિધ સમુદાય સેવા પ્રયાસો દ્વારા સમાજ પર એક છાપ છોડી છે. ઓમ શાંતિ.''

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુઃખ વ્યક્ત કર્યું
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેવીસિંહ શેખાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “ડૉ. દેવીસિંહ શેખાવતજીના આકસ્મિક નિધન વિશે જાણીને હું આઘાત અનુભવું છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના શ્રીમતી પ્રતિભા સિંહ પાટીલ અને તેમના પરિવાર સાથે છે.

Tags :