Get The App

દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ 1 - image


Image X

Judge Aman Kumar Sharma: દક્ષિણ દિલ્હીના સફદરજંગ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ન્યાયિક સેવા સાથે જોડાયેલા જજ અમન કુમાર શર્માએ કથિત રીતે જીવનનો અંત કરી દીધો છે. પોલીસને તેમનો મૃતદેહ ગ્રીન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને ફાંસીએ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને ન્યાયિક જગતમાં સનસનાટી મચી ગઈ છે.

બાથરૂમમાંથી મળી લાશ

મળતી માહિતી મુજબ, સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનને પીસીઆર કોલ દ્વારા આ ઘટનાની જાણ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 30 વર્ષીય અમન કુમાર શર્મા (રહે. ગ્રીન પાર્ક મેઈન) એ પોતાના ઘરમાં જીવનનો અંત કરી દીધો છે. તેમનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ તેમના જીજા શિવમે પોલીસને કરી હતી.


આ પણ વાંચો: LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

DLSA માં સચિવ તરીકે હતા કાર્યરત

અમન કુમાર શર્મા કડકડડૂમા કોર્ટમાં ઉત્તર-પૂર્વ જિલ્લા વિધિક સેવા સત્તામંડળ (DLSA) માં ફૂલ-ટાઈમ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વર્ષ 2018 માં પુણેની સિમ્બાયોસિસ લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 19 જૂન 2021ના રોજ દિલ્હી ન્યાયિક સેવામાં જોડાયા હતા. ઓક્ટોબર 2025 થી તેઓ સચિવ તરીકે કાર્યરત હતા.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ ષડયંત્રના સંકેત મળ્યા નથી, પરંતુ જીવનનો અંત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પરિવારજનો તેમજ નજીકના લોકોની પૂછપરછ શરૂ કરી છે. જેથી આ આત્યંતિક પગલાં પાછળનું કારણ જાણી શકાય.