India

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન

By GS TEAM
11 Nov 20252 mins read
TukuTouch Logo
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા આતંકી નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ આતંકવાદી મસૂદની બહેને ફરીદાબાદથી ઝડપાયેલી ડૉ. શાહીન શહીદને મહિલા વિંગની કમાન સોંપી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ.શાહીનને ભારતમાં જૈશ-એ-મોહમ્મદ મહિલા સંગઠન જમાત-ઉલ-મોમિનીનની કમાન સોંપાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન

Delhi’s Red Fort Blast : દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા આતંકી નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ આતંકવાદી મસૂદની બહેને ફરીદાબાદથી ઝડપાયેલી ડૉ. શાહીન શહીદને મહિલા વિંગની કમાન સોંપી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. શાહીનને ભારતમાં જૈશ-એ-મોહમ્મદ મહિલા સંગઠન જમાત-ઉલ-મોમિનીનની કમાન સોંપાઈ હતી.

ડૉ. શાહીન પાકિસ્તાની આકાઓના સંપર્કમાં હતી

રિપોર્ટ મુજબ, આ આતંકી નેટવર્ક દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિસ્તાર વધારવામાં આવતો હતો. એટલે કે નેટવર્કમાં વધુમાં વધુ લોકોને જોડવામાં આવયા હતા. સ્થાનિક સમર્થકોની મદદ લઈને જમીની સ્તરે કામ પણ શરુ કરી દેવાયું હતું. એજન્સીઓનું માનવું છે કે, શાહીન પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતી.

મસૂદની બહેને શાહીનને કમાન સોંપી

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અજહરની બહેન સાદિયા અજહરે શાહીનને મિશન સોંપ્યું હતું. સાદિયાને પાકિસ્તાનમાં મહિલા વિંગની ચીફ માનવામાં આવે છે. સાદિયાનો પતિ અને આતંકવાદી યુસુફ અજહર કંધાર હાઇજેક ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ હતો.

આ પણ વાંચો : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ

ભારતમાં આતંક ફેલાવવા મહિલાઓનો ઉપયોગ

આ તમામ રિપોર્ટ સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ડિજિટલ નેટવર્ક, સોશિયલ મીડિયા કનેક્શન અને સંભવિત લોકોની તપાસ અને શોધખોળ શરુ કરી દીધી છે. આ નેટવર્ક કહી રહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં આતંક ફેલાવવા માટે હવે મહિલાઓનો ઉપયોગ કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટમાં 10ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતાં યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ : ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !