Get The App

Covid-19: દર 6-9 મહિનામાં વધે છે કોરોનાનું સંક્રમણ', વિશેષજ્ઞોએ તમામ લોકોને આપી જરૂરી સલાહ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
Covid-19: દર 6-9 મહિનામાં વધે છે કોરોનાનું સંક્રમણ', વિશેષજ્ઞોએ તમામ લોકોને આપી જરૂરી સલાહ 1 - image


Covid-19 News: ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં તાજેતરના દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યા. પરંતુ ભારતમાં હાલમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 15 જૂનના રોજ જ્યાં કુલ એક્ટિવ કેસ 7400 હતા, તે 21 જૂન(શનિવાર)ના રોજ ઘટીને લગભગ 5012 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1197 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે અથવા હૉસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે.

જોકે, રાજસ્થાનમાં 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ફેફસાંની સમસ્યાની સાથે કોરોનાનું સંક્રમણ પણ થયું હતું, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બનતી ગઈ અને તેનું મૃત્યુ થયું.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં સક્રિય કેસોમાં ભલે ઘટાડો થયો હોય, જોકે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. વાયરસ હંમેશા આપણી આસપાસ રહે છે અને નવા મ્યુટેશન અથવા લોકોની નબળી પ્રતિરક્ષાને કારણે વારંવાર સક્રિય થઈ જાય છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને, તમામ લોકોએ સતત સાવચેતી રાખવાની જરૂર છે. આપણે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે.

આ પણ વાંચો: કોરોનાના કેસ મામલે ગુજરાત દેશમાં બીજા સ્થાને, કુલ એક્ટિવ કેસ 912, અમદાવાદમાં આંકડો ચિંતાજનક

ભારતમાં કોરોનાના ચાર વેરિએન્ટ એક્ટિવ

ભારતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અહીં બે વેરિએન્ટ નિંબસ (Nimbus) અને ટ્રાટસ (Stratus) સૌથી વધુ અસરકારક જોવા મળી રહ્યા છે. NB.1.8.1ના અનૌપચારિક રૂપથી 'નિબંસ' ઉપનામ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ એક્સએફજીને સ્ટ્રાટસ કહેવામાં આવે છે. 

તાજેતરમાં એક રિપોર્ટમાં આઇસીએમઆર-એનઆઇવી પૂણેના નિર્દેશક ડૉ. નવીન કુમારે જણાવ્યું હતું કે XFG અને NB.1.8.1ની સાથે JN.1 અને LF.7 વેરિઅન્ટ પણ અહીં સક્રિય જોવા મળ્યા છે. અત્યાર સુધી આ વેરિઅન્ટ્સને વધુ ગંભીર ગણવામાં આવ્યા નથી, જોકે દરેક મ્યુટેશન સાથે તેનો સંક્રમણ દર ચોક્કસપણે વધતો જાય છે, જેને લઈને સાવચેતી રાખવી જરૂરી છે.

Tags :