Get The App

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનાં કાયદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો

Updated: Aug 1st, 2020

GS TEAM


Google News
Google News
કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનાં કાયદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો 1 - image

નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2020 શનિવાર

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટની બંધારણીય કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ શૌરી, વકીલ પ્રશાંત ભૂષણ અને વરિષ્ઠ પત્રકાર એન. રામે  કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટની કાયદેસરતાને પડકારતી અરજી દાખલ કરી છે.

અરજદારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે બંધારણના મૂળભૂત અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. આ અરજીમાં તિરસ્કાર કાયદાની બંધારણીય માન્યતાને પડકારી છે. પ્રશાંત ભૂષણ સામે સુપ્રીમ કોર્ટમાં બે અવમાનના કેસ પેન્ડીંગ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેમ્પ્ટ ઓફ એક્ટ 1972ની કલમ 2 (સી) (1) ને ગેરબંધારણીય જાહેર કરવી જોઈએ. અરજદારે જણાવ્યું છે કે આ કાયદામાં તિરસ્કારની જોગવાઈ બંધારણની પ્રસ્તાવના અને મૂળભૂત લાક્ષણિકતાની વિરુદ્ધ છે.

એક્ટની કલમ -૨ (સી) (૧)માં જોગવાઈ છે કે જો કોઈ લખવામાં, બોલતા અથવા હાવભાવથી એવું કામ કરે છે જેનાથી અદાલતની બદનામી થાય છે અથવા માન અને પ્રતિષ્ઠા પર આંચ આવે છે, તો તે અદાલતની અવમાનનાં છે.

કોર્ટેમાં દલીલ કરવામાં આવી છે કે તિરસ્કારની જોગવાઈ બંધારણના અભિવ્યક્તિ અને વિચારણાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. અરજદારે કહ્યું છે કે તિરસ્કાર કાયદો મનસ્વી છે. અરજદારે જણાવ્યું છે કે આ જોગવાઈ એ સમાનતાના હકનું ઉલ્લંઘન છે આર્ટિકલ -14 સમાનતાનાં અધિકાર અને કલમ-19 વિચાર અભિવ્યક્તિનાં અધિકારનું ઉલ્લંઘન છે.

Tags :