Get The App

પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી સુપરફાસ્ટ ટ્રેનને રોકવી પડી

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી સુપરફાસ્ટ ટ્રેનને રોકવી પડી 1 - image


Railway News: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ઉત્તર મધ્ય રેલવેના ભીરપુર અને મેજા રેલવે સ્ટેશન વચ્ચે તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પલટવાનું ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું. ટ્રેન આવતા પહેલા રેલવે ટ્રેક પર મોટા મોટા પથ્થરો રાખી દેવાયા. ઘટનાને રાત્રે અંજામ અપાયો. લોકો પાયલટની સતર્કતાથી દુર્ઘટના ટળી ગઈ. માહિતી મળતા છિવકીથી પહોંચેલી આરપીએફ પોલીસે તપાસ હાથ ધરી. જેને લઈને 10 મિનિટ સુધી ટ્રેનને રોકવી પડી. આ મામલે અજાણ્યા તત્ત્વો વિરૂદ્ધ ફરિયાદ નોંધી દેવાઈ છે.

તેજસ રાજધાની એક્સપ્રેસના રેલવે ટ્રેક પર અજાણ્યા તત્ત્વોએ મોડી રાત્રે પથ્થરો રાખી દીધા. જેની માહિતી મળતા લોકો પાયલટે ભીરપુર અને મેજા રોડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનને રોકી દીધી અને તેની માહિતી અધિકારીઓને આપી. માહિતી મળતા જ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો. આરપીએફની સાથે તમામ અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા. છિવકીથી પહોંચેલી આરપીએફે ફરિયાદ દાખલ કરીને સઘન તપાસ હાથ ધરી.

લોકો પાયલટના નિવેદન અને ઘટના સ્થળની ફોટોગ્રાફી કરવામાં આવી, જેના આધાર પર સંયુક્ત નિરીક્ષણ નોટ તૈયાર કરાયું. રેલવે અધિકારીઓના અનુસાર, અજાણ્યા વ્યક્તિએ ડાઉન ટ્રેક પર કિલોમીટર સંખ્યા 794/18-16 ભીરપુર અને મેજા સ્ટેશનના વચ્ચે ગિટ્ટી અને પથ્થરો રાખી દીધા હતા, જેના કારણે આ ઘટના બની. જો કે, તેમાં રેલવે વિભાગને કોઈપણ પ્રકારની નુકસાન થઈ નથી.

Tags :