India

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી

By GS TEAM
26 Sep 20252 mins read
TukuTouch Logo
નવી દિલ્હીના માલવિયાનગરમાં એક દુઃખદ ઘટના બની, જ્યાં બાઇક સવાર હુમલાખોરોએ કોંગ્રેસના નેતા અને પ્રોપર્ટી ડીલર લખપત સિંહ કટારિયા (55 વર્ષ) પર ગોળીબાર કર્યો. હુમલાખોરોએ તેમને રોક્યા બાદ ત્રણ ગોળીઓ મારી હતી. પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. ડીસીપી (સાઉથ દિલ્હી) અંકિત ચૌહાણે આ સમાચારની પુષ્ટિ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી

Congress Leader Lakhpat Singh Shot Dead: નવી દિલ્હીના માલવિયાનગરમાં એક દુઃખદ ઘટના બની, જ્યાં બાઇક સવાર હુમલાખોરોએ કોંગ્રેસના નેતા અને પ્રોપર્ટી ડીલર લખપત સિંહ કટારિયા (55 વર્ષ) પર ગોળીબાર કર્યો. હુમલાખોરોએ તેમને રોક્યા બાદ ત્રણ ગોળીઓ મારી હતી. પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. ડીસીપી (સાઉથ દિલ્હી) અંકિત ચૌહાણે આ સમાચારની પુષ્ટિ કરી છે.

બાઇક સવાર હુમલાખોરોએ લખપત સિંહ કટારિયાને રોકીને ગોળી મારી

આજે સવારે 9.53 વાગ્યે, માલવિયાનગર પોલીસ સ્ટેશનને પીસીઆર કોલ દ્વારા વિજય મંડલ પાર્ક, બેગમપુર નજીક ગોળીબારની જાણ થઈ હતી. કોલ કરનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે બાઇક પર આવેલા બે હુમલાખોરોએ લખપત સિંહ કટારિયાને સૌપ્રથમ રોક્યા અને પછી તેમને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો તરત જ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગોળી વાગવાથી ઘાયલ થયેલા અને બેગમપુરના રહેવાસી એવા લખપત સિંહ કટારિયાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.

આ પણ વાંચો: યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ

પોલીસની તપાસ

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ, બે અજાણ્યા વ્યક્તિઓએ પાર્ક પાસે લખપત સિંહ કટારિયાને રોક્યા, તેમના પર ગોળીઓ ચલાવી અને એક અજ્ઞાત મોટરસાયકલ પર નાસી ગયા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવી રહી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.