નવી દિલ્હી, તા. 9 નવેમ્બર 2022 બુધવાર
ભારત G-20 શિખર સંમેલનની મેજબાની કરવા જઈ રહ્યુ છે. આ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. પીએમ નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ આનો લોગો અને વેબસાઈટને લોન્ચ કરી. હવે જી-20ના લોગો પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધતા એક મોટુ નિવેદન આપ્યુ છે. જયરામ રમેશે જી-20ના લોગો પર બનેલા કમળના ફૂલની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
ભાજપ કોઈ તક છોડતી નથી
આ લોગોને મુદ્દે જયરામ રમેશે કહ્યુ, જી-20 નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે. ભાજપ પોતાના પ્રચારની કોઈ પણ તક છોડતી નથી. એવામાં વૈશ્વિક સંગઠનની મેજબાની માટે જારી કરવામાં આવેલા લોગો પર કમળનો ફોટો હોવો આ એક પ્રકારની શરમજનક ઘટના છે.
જયરામ રમેશે નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ પણ કરી જેમાં તેમણે લખ્યુ, આજથી 70 વર્ષ પહેલા જવાહર લાલ નેહરુજીએ કોંગ્રેસના ધ્વજને ભારતનો ધ્વજ બનાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. હવે દેશ તરફથી બનાવવામાં આવેલા જી20ની મેજબાનીનો લોગો ભાજપનું ચૂંટણી ચિહ્ન બની ચૂક્યો છે. આ તમામ હેરાન કરી દેનારુ છે. અમે જાણીએ છીએ કે પીએમ મોદી અને ભાજપ પોતાનો પ્રચાર કરવાની કોઈ તક છોડશે નહીં.

પીએમ મોદીએ લોગો પર કહી આ વાત
કોંગ્રેસ આ લોકો પર નિવેદનબાજી કરીને નિશાન સાધી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20નો લોગો, થીમ અને વેબસાઈટને જારી કરતા એ કહ્યુ હતુ કે ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે. જી-20ના લોગોમાં કમળનુ ફૂલ ભારતની પૌરાણિક ધરોહર, આપણી આસ્થા, આપણી બૌદ્ધિકતાને ચિત્રિત કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારત 1 ડિસેમ્બરે વર્તમાન અધ્યક્ષ ઈન્ડોનેશિયાથી શક્તિશાળી ગ્રૂપ જી20 ની અધ્યક્ષતા ગ્રહણ કરશે.
Over 70 years ago, Nehru rejected the proposal to make Congress flag the flag of India. Now,BJP's election symbol has become official logo for India's presidency of G20! While shocking,we know by now that Mr.Modi & BJP won’t lose any opportunity to promote themselves shamelessly!
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 9, 2022


