India

કોંગ્રેસમાં મધરાતે 'મહાભારત': કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઇવોલ્ટેજ બેઠક

By GS TEAM
21 Mar 20263 mins read
TukuTouch Logo
રાહુલ ગાંધીએ કોઇ પણ ઉમેદવારને ટિકિટ આપતા પહેલા કેટલાક માપદંડો ધ્યાને રાખવાનો આદેશ આપ્યો છે. જેના અનુસાર સર્વે રેટિંગમાં ઉમેદવાર ક્યાં છે? અને તેની જીતવાની શક્યતા કેટલી છે?

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસમાં મધરાતે 'મહાભારત': કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઇવોલ્ટેજ બેઠક

Congress Marathon Midnight Meet: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખાર્ગેના નિવાસસ્થાન 10 રાજાજી માર્ગ પર અચાનક ગાડીઓની અવરજવર વધી અને શરૂ થઈ કેરળ વિધાનસભા ચૂંટણી માટેની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી(CEC)ની એક મેરેથોન બેઠક, જે રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેરળ એકમ દ્વારા મોકલવામાં આવેલા નામોથી સંતુષ્ટ નહોતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટિકિટની વહેંચણી માત્ર ભલામણના આધારે નહીં, પરંતુ નીચે મુજબના પાસાઓ પર થવી જોઈએ.

દરેક બેઠક પર જ્ઞાતિનું ગણિત શું છે?

રાહુલ ગાંધીએ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપતાં પહેલા કેટલાક માપદંડો ધ્યાને રાખવાનો આદેશ આપ્યો છે. જેના અનુસાર સર્વે રેટિંગમાં ઉમેદવાર ક્યાં છે? અને તેની જીતવાની શક્યતા કેટલી છે? ભૂતકાળમાં ચૂંટણીમાં દેખાવ કેવો રહ્યો છે? સહિતની અનેક બાબતોને ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 

સાંસદોને વિધાનસભામાં નો એન્ટ્રી

આ બેઠકમાં એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. કે સુધાકરન, અદૂર પ્રકાશ અને શફી પરમબિલ જેવા ઓછામાં ઓછા 5 સાંસદો વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પરંતુ રાહુલ ગાંધીએ તેનો ઇન્કાર કરી દીધો હતો. સાંસદોને લડાવવાથી લોકસભાની પેટાચૂંટણીઓનો બોજ વધે અને મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પણ મૂંઝવણ ઊભી થઈ શકે. જોકે, સૂત્રો કહે છે કે, જો પાર્ટી બહુમતી મેળવે તો પછીથી કોઈ સાંસદનું નામ મુખ્યમંત્રી તરીકે વિચારી શકાય છે.

આ પણ વાંચો : LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

કે સી વેણુગોપાલ જૂથનું વર્ચસ્વ

ટિકિટ વહેંચણીમાં કે સી વેણુગોપાલની મજબૂત પકડ જોવા મળી છે. 92 ઉમેદવારોમાંથી અંદાજે 60% ઉમેદવારો તેમના નજીકના હોવાનું મનાય છે. વેણુગોપાલ જૂથને પ્રથમ યાદીમાં 17 બેઠકો મળી, રમેશ ચેન્નીથલા જૂથ 9 બેઠકો મળી, વીડી સતીશન જૂથને 5 બેઠકો મળી. શશિ થરૂરે તેમને કોઈ ખાસ જૂથબંધી કે ટિકિટ માટે દબાણ કર્યું નથી.

જ્ઞાતિ અને સમુદાયનું ગણિત

કોંગ્રેસે આ વખતે સોશિયલ એન્જિનિયરિંગ પર ખાસ ભાર મૂક્યો છે. ખ્રિસ્તી જૂથને 22 સીટો મળી હતી જે પૈકી 10 સિરો-મલબાર સમુદાયને ફાળવવામાં આવી છે. નાયબરને 21 સીટો, ઇઝવા સમુદાયને 20 સીટ, મુસ્લિમોને 12 અને બ્રાહ્મણોને 03 સીટો ફાળવવામાં આવી છે. જાહેર થયેલા 92 ઉમેદવારોમાંથી 52 ઉમેદવારો 50 વર્ષથી ઓછી ઉંમરના છે, જે દર્શાવે છે કે પાર્ટી નેતૃત્વ પરિવર્તન તરફ જોઈ રહી છે.

મહિલા પ્રતિનિધિત્વ પર સવાલ

બધું સમુંસુતરું પાર પડી ચૂક્યું છે, પરંતુ પાર્ટીની અંદર વિરોધના સૂર પણ ઉઠ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા શામા મોહમ્મદ મહિલાઓને ઓછી ટિકિટ મળવા બાબતે નારાજ છે. તેમણે એક્સ (X) પર રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું કે 92 માંથી માત્ર 9 મહિલાઓને જ ટિકિટ મળી છે. જે પાર્ટીની મહિલાઓ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. સૂત્રો મુજબ, શામા મોહમ્મદ પોતે કન્નૂરથી ટિકિટની આશા રાખતા હતા. કોંગ્રેસ આ વખતે કેરળમાં ભાજપની જેમ જ 'લેટ નાઇટ કલ્ચર' અપનાવીને ફૂંકી ફૂંકીને ડગલાં ભરી રહી છે. 140માંથી 95 બેઠકો પર લડી રહેલી કોંગ્રેસે પોતાના 22માંથી 19 વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.