કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Announces 6 Rajya Sabha Candidates : રાજ્યસભાની આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. દેશના 10 રાજ્યોની 37 બેઠકો માટે નામાંકન ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા 6 મહત્ત્વના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

તેલંગાણાથી અભિષેક મનુ સિંઘવી અને વેમ રેડ્ડી
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ગાંધી પરિવારના નજીકના ગણાતા અભિષેક મનુ સિંઘવીને તેલંગાણાથી ફરી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના વિશ્વાસુ અને પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ વેમ નરેન્દ્ર રેડ્ડીને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
સામાજિક સમીકરણો પર ધ્યાન
કોંગ્રેસે આ યાદીમાં જ્ઞાતિ અને સમુદાયના સમીકરણોને પણ પ્રાધાન્ય આપ્યું છે:
છત્તીસગઢ: આદિવાસી સમુદાયના નેતા ફૂલો દેવી નેતામને પક્ષે ફરીથી તક આપી છે.
હરિયાણા: દલિત સમાજમાંથી આવતા કરમવીર બૌદ્ધને રાજ્યસભાની ટિકિટ આપીને પક્ષે મોટો દાવ ખેલ્યો છે.
હિમાચલ અને તમિલનાડુના ઉમેદવારો
હિમાચલ પ્રદેશની મહત્વની બેઠક માટે અનુરાગ શર્માના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાંથી કોંગ્રેસે એમ. ક્રિસ્ટોફર તિલકને પોતાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
આજે ગુરુવારે નામાંકન પ્રક્રિયાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતાઓની સાથે ક્ષેત્રીય અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.









