ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jharkhand Chhath Puja Incident: ઝારખંડમાં સોમવારે છઠના પવિત્ર પર્વ નિમિત્તે પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ પાંચથી વધુ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબીને મૃત્યુ પામેલા કુલ મૃત્યુઆંક 11 થયો છે. પોલીસે જણાવ્યું હતું કે છઠ પૂજા દરમિયાન ડૂબીને મૃત્યુ પામનારા મોટાભાગના લોકો ડૂબી ગયા હતા. સોમવારે એક સગીર અને બે પુરુષો પણ જળાશયોમાં ડૂબ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હજારીબાગ, ગઢવા અને સિમડેગા જિલ્લામાં પાંચ બાળકોના મોત થયા હતા. રવિવારે સિમડેગા અને પલામુ જિલ્લામાં છ બાળકો ડૂબી ગયા હતા.
આનંદનું પર્વ શોકમાં ફેરવાયું
ઝારખંડમાં છઠનું આનંદ પર્વ શોકમાં ફેરવાયું હતું. જેમાં કેટલાકે પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો હતો, જ્યારે અન્ય લોકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સાંજે છઠ પૂજા દરમિયાન હજારીબાગના કેરેદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલા ગામમાં બે સગીરા ગુનગુન કુમારી (ઉ.વ. 11) અને રૂપા તિવારી (ઉ.વ.12) તળાવમાં ડૂબી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ગઢવામાં સોમવારે બપોરે સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની દાનરો નદીમાં સ્નાન કરતી વખતે 13 વર્ષીય રાહુલ કુમાર ડૂબી ગયો હતો. સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનિલ તિવારીએ જણાવ્યું હતું કે રાહુલ નદીમાં સ્નાન કરતી વખતે ઊંડા પાણીમાં ગયો અને ડૂબી ગયો. સ્થાનિક લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી અને સદર હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નાની બાળા પાણી ભરેલી ડોલમાં ડૂબી
સિમડેગા જિલ્લાના બાનો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માયાંગસોર ગામમાં અઢી વર્ષની એક બાળકી પાણી ભરેલી ડોલમાં ડૂબી ગઈ હતી. ઘટના સમયે છોકરી અને તેની દાદી ઘરે હતા. દાદી બીજા રૂમમાં ગઈ, પરંતુ જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમણે બાળકીને ડોલમાં ડૂબેલી જોઈ હતી.
સોમવારે સાંજે, છઠ પૂજા દરમિયાન અર્ધ્ય આપ્યા પછી, સેરાઈકેલા-ખરસાવન જિલ્લાના ચાંદિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સહેરબેરા નજીક સુબર્ણરેખા નદીમાં એક સગીર ડૂબ્યો હતો. 14 વર્ષનો આર્યન યાદવ નદીના જોખમી પ્રવાહમાં ગયો અને ડૂબવા લાગ્યો. પ્રતીક કુમાર યાદવ (19) અને સંજય સિંહ (45) તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા. NDRFની ટીમ અને સ્થાનિક ડાઇવર્સે છોકરાનો મૃતદેહ બહાર કાઢ્યો, અન્ય બે ગુમ વ્યક્તિઓની શોધ ચાલુ છે. પલામુમાં, સોમવારે એક 16 વર્ષનો છોકરો નહેરમાં ન્હાવા પડ્યો હતો, જે બાદમાં ગુમ થયો હતો. આ ઘટના હુસૈનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિષ્ણુપુર ગામમાં ચૌરા પુલ પાસે બની હતી. રવિવારે સાંજે સિમડેગામાં ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા હતા, અને પલામુ જિલ્લામાં આવી જ એક ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા હતા.









