India

30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ!

By GS TEAM
19 Aug 20251 min read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં એક મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલ દ્વારા ગંભીર ગુનાહિત કેસોમાં ધરપકડ અથવા અટકાયતના કિસ્સામાં કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના મુખ્યમંત્રી અથવા મંત્રી તેમજ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અથવા રાજ્યમંત્રી (MOS)ને તેમના પદ પરથી દૂર કરવાની કાનૂની જોગવાઈ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ!

Parliament Bill Update: કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં એક મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલ દ્વારા ગંભીર ગુનાહિત કેસોમાં ધરપકડ અથવા અટકાયતના કિસ્સામાં કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના મુખ્યમંત્રી અથવા મંત્રી તેમજ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અથવા રાજ્યમંત્રી (MOS), રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમના પદ પરથી દૂર કરવાની કાનૂની જોગવાઈ કરવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદાનો હેતુ રાજકારણમાં સ્વચ્છતા, જવાબદારી અને નૈતિક આચરણને પ્રોત્સાહન આપવાનો છે.

પ્રસ્તાવિત કાયદાની જોગવાઈઓ અનુસાર, મુખ્યમંત્રી સહિત કોઈપણ મંત્રી, જેની ધરપકડ કરવામાં આવે અને પાંચ વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર ગુના માટે સતત 30 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે, તે પદ પરથી દૂર થવા માટે જવાબદાર રહેશે. પ્રસ્તાવિત સુધારામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 54 માં એક નવી કલમ - (4A) - દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.