India

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા ઍરપૉર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવાર

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા, ઇમિગ્રેશન સિસ્ટમ અને વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે કુલ 30,640 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત નિર્ણયોને પોતાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયોમાં પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપતી 'મોડિફાઇડ ઉડાન યોજના' અને 'IVFRT 3.0' ના વિસ્તરણની સાથે પેરિસ કરાર હેઠળ ભારતના નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન (NDC) સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા ઍરપૉર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવાર

Cabinet News: ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા, ઇમિગ્રેશન સિસ્ટમ અને વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે કુલ 30,640 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત નિર્ણયોને પોતાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયોમાં પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપતી 'મોડિફાઇડ ઉડાન યોજના' અને 'IVFRT 3.0' ના વિસ્તરણની સાથે પેરિસ કરાર હેઠળ ભારતના નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન (NDC) સાથે જોડાયેલ એક મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણય સામેલ છે.

ઉડાન યોજનામાં મોટો ફેરફાર

કેબિનેટની બેઠકમાં સૌથી મોટી નાણાકીય ફાળવણી ઉડ્ડયન ક્ષેત્રના માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવી છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં હવાઈ સંપર્કને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકારે 'મોડિફાઇડ ઉડાન યોજના' ને 28,840 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 નવા ઍરપૉર્ટ અને 200 હેલીપેડ વિકસાવવાની યોજનાઓ સાથે પ્રાદેશિક હવાઈ સંપર્કને મોટો વેગ મળશે.

ઇમિગ્રેશન અને વિઝા સિસ્ટમનું થશે આધુનિકીકરણ

બીજી તરફ કેબિનેટે વિદેશીઓના ભારત આગમન, તેમના વિઝા અને રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયાને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે 'ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ' (IVFRT 3.0) યોજનાને આગામી પાંચ વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેના માટે 1,800 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

ઇમિગ્રેશન અને વિઝા સંપૂર્ણપણે હાઇ-ટેક અને સુરક્ષિત 

સામાન્ય લોકો અને મુસાફરોના દૃષ્ટિકોણથી આનો સીધો અર્થ એ છે કે હવે ઇમિગ્રેશન અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે હાઇ-ટેક અને સુરક્ષિત નેટવર્ક સાથે જોડાયેલી રહેશે, જેનાથી સાચા વિદેશી મુસાફરોને ભારત આવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં અને સાથે જ દેશની રાષ્ટ્રીય સુરક્ષા પણ પહેલા કરતાં વધુ મજબૂત થશે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ મુદ્દે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક શરૂ, વિદેશ નીતિ મુદ્દે કોંગ્રેસ આક્રમક, TMCએ કર્યો બહિષ્કાર

પેરિસ કરાર હેઠળ NDCને લીલીઝંડી

નાણાકીય મંજૂરીઓ ઉપરાંત, કેબિનેટે વૈશ્વિક પર્યાવરણ સાથે જોડાયેલ એક મુખ્ય નીતિગત નિર્ણય પણ લીધો છે. સરકારે પેરિસ કરાર હેઠળ ભારતના 'નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન'(NDC)ને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય વૈશ્વિક મંચ પર ભારતના કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતાઓને સ્પષ્ટ કરે છે અને ભવિષ્યમાં ગ્રીન એનર્જી તથા ટકાઉ વિકાસ સાથે જોડાયેલી કોર્પોરેટ વ્યૂહરચનાઓને એક નવી દિશા આપશે.