India

હવે 'કેરલમ' નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય કેરળનું નામ બદલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હવે સત્તાવાર રીતે કેરળનું નામ 'કેરલમ' (Keralam) રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાએ આ પહેલા જ સત્તાવાર રૅકોર્ડમાં નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે 'કેરલમ' નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય

Keralas Name Will Keralam : કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય કેરળનું નામ બદલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હવે સત્તાવાર રીતે કેરળનું નામ 'કેરલમ' (Keralam) રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાએ આ પહેલા જ સત્તાવાર રૅકોર્ડમાં નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો હતો.

વિધાનસભામાં બે વાર પસાર થયો હતો પ્રસ્તાવ

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વર્ષ 2024માં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમની માંગ હતી કે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ 'કેરળ'થી બદલીને 'કેરલમ' કરવામાં આવે.

જૂન 2024: વિધાનસભાએ બીજી વખત આ પ્રસ્તાવ પસાર કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રથમ પ્રસ્તાવની સમીક્ષા કર્યા બાદ કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા હતા, જેનો અમલ કરીને નવો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : BREAKING: યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો

શા માટે 'કેરલમ'?

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ફેરફાર પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે, "મલયાલમ ભાષામાં આપણા રાજ્યને 'કેરલમ' જ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ મલયાલમ ભાષી સમુદાયો માટે 'સંયુક્ત કેરલમ' બનાવવાની માંગ ઉઠી રહી હતી. જોકે, બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ 'કેરળ' લખવામાં આવ્યું છે. આથી અમે કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તાત્કાલિક સુધારો કરી તેને તમામ ભાષાઓમાં 'કેરલમ' કરવામાં આવે."

મે મહિનામાં છે વિધાનસભા ચૂંટણી

કેરળમાં આગામી મે મહિના પહેલા વિધાનસભાની 140 બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા નામ બદલવાનો આ નિર્ણય રાજકીય દૃષ્ટિએ પણ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.