India

'નકલી NCERT પુસ્તકોથી બચવું...' CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ

By GS TEAM
15 Nov 20252 mins read
TukuTouch Logo
CBSEએ તમામ સ્કૂલોને ચેતવણી આપી છે કે બજારમાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહ્યા છે. બોર્ડે સ્કૂલોને આ નકલી પુસ્તકોથી સાવધાન રહેવા કહ્યું છે, કારણ કે આવા નકલી પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે. CBSEને ફરિયાદો મળી છે કે કેટલાક અનધિકૃત દુકાનદાર અને વિક્રેતાઓ નકલી NCERT પુસ્તકો વેચી રહ્યા છે. આ પુસ્તકો ઘણીવાર ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમાં ઘણી સમસ્યાઓ હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નકલી NCERT પુસ્તકોથી બચવું...' CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ

CBSE Issues Advisory: CBSEએ તમામ સ્કૂલોને ચેતવણી આપી છે કે બજારમાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહ્યા છે. બોર્ડે સ્કૂલોને આ નકલી પુસ્તકોથી સાવધાન રહેવા કહ્યું છે, કારણ કે આવા નકલી પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે. CBSEને ફરિયાદો મળી છે કે કેટલાક અનધિકૃત દુકાનદાર અને વિક્રેતાઓ નકલી NCERT પુસ્તકો વેચી રહ્યા છે. આ પુસ્તકો ઘણીવાર ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમાં ઘણી સમસ્યાઓ હોય છે. 

કાગળ અને પ્રિન્ટની ખરાબ ગુણવત્તા

- ખોટી પ્રિન્ટિંગ

- વિષય-વસ્તુમાં ખામી

- ઘણી જગ્યાએ ખોટી અથવા તો અધૂરી જાણકારી

બોર્ડે કહ્યું કે આવા પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સ્કૂલોને આ અંગે તાત્કાલિક સતર્ક થવાની જરૂર છે.

સ્કૂલોને આપ્યા આ નિર્દેશ 

CBSEએ તમામ સ્કૂલ પ્રમુખોને સલાહ આપી છે કે તમે વાલીઓને માત્ર અસલી અને અધિકૃત NCERT પુસ્તકો જ ખરીદવા જણાવો. 

જો સ્કૂલો પોતે પુસ્તકો મંગાવે તો તે માત્ર અધિકૃત સ્રોતો પરથી જ મંગાવો. આ સલાહને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વ્યાપકપણે શેર કરો.

અસલી NCERT પુસ્તકો ક્યાં મળશે?

CBSEએ ચાર અધિકૃત માધ્યમ જણાવ્યા છે જ્યાંથી અસલી પુસ્તકો સરળતાથી ખરીદી શકાય છે.

NCERTનું ક્ષેત્રીય પ્રોડક્શન અને વિતરણ કેન્દ્ર (RPDC)

NCERT વેબસાઇટ પર સૂચિબદ્ધ અધિકૃત વિક્રેતાઓ

NCERT પોસ્ટલ ડિલિવરી સર્વિસ

ઓફિશિયલ NCERT એમેઝોન સ્ટોરફ્રન્ટ

સ્કૂલોને સલાહ આપવામાં આવી છે કે, જરૂર પડવા પર તમે પોતાના નજીકના RPDCથી સહાયતા પણ લઈ શકાય છે. 

આ પણ વાંચો: નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્વ, દેખાવમાં નેપાળના પશુપતિનાથ જેવું

કેમ જરૂરી છે આ પગલું?

CBSEએ કહ્યું કે, શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અસલી પુસ્તકોનો ઉપયોગ સુનિશ્ચિત કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નકલી પુસ્તકો શિક્ષણમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરી શકે છે. તેથી, બોર્ડે આ નિર્દેશનું કડક પાલન કરવા કહ્યું છે.