India

રાજસ્થાનના ભીલવાડામાં તંગદિલી, લારી સાથે કારની ટક્કર થતાં ભીડે યુવકને મારી નાખ્યો

By GS TEAM
5 Jul 20252 mins read
TukuTouch Logo
રાજસ્થાનના ભીલવાડામાં શુક્રવારે (ચોથી જુલાઈ) રાત્રે કાર અને લારી વચ્ચે થયેલી નજીવી ટક્કર બાદ ટોળાએ કારચાલકને ઢોર માર માર્યો હતો. જેમાં કારચાલકનું મૃત્યુ નીપડ્યું હતું. મૃતક ટોંકના કેન્ટોનમેન્ટ ટાઉનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. છે. આ ઘટના બાદ શહેરમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. બજારો બંધ રહી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોએ મોડી રાત સુધી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આ વિસ્તારમાં પોલીસની ટીમ તહેનાત કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનના ભીલવાડામાં તંગદિલી, લારી સાથે કારની ટક્કર થતાં ભીડે યુવકને મારી નાખ્યો
Representative image

Bhilwara Violent Fights: રાજસ્થાનના ભીલવાડામાં શુક્રવારે (ચોથી જુલાઈ) રાત્રે કાર અને લારી વચ્ચે થયેલી નજીવી ટક્કર બાદ ટોળાએ કારચાલકને ઢોર માર માર્યો હતો. જેમાં કારચાલકનું મૃત્યુ નીપડ્યું હતું. મૃતક ટોંકના કેન્ટોનમેન્ટ ટાઉનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. છે. આ ઘટના બાદ શહેરમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો.  બજારો બંધ રહી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોએ મોડી રાત સુધી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આ વિસ્તારમાં પોલીસની ટીમ તહેનાત કરાઈ હતી.

જાણો શું છે મામલો

પોલીસના જણાવ્યાનુસાર, ટોંક કેન્ટોનમેન્ટનો રહેવાસી 25 વર્ષીય સીતારામ કીર તેના ત્રણ મિત્રો સિકંદર, દિલખુશ અને દીપક સાથે એક સંબંધીને મળવા જહાજપુર આવ્યા હતા. શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે, તેમની કાર બસ સ્ટેન્ડ પાસે શાકભાજીની લારી સાથે અથડાઈ, જેના કારણે લારી પલટી ગઈ અને તેના કારણે લારીના માલિક શરીફ મોહમ્મદ સાથે દલીલ થઈ, જે અચાનક હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, ઝઘડા દરમિયાન, એક પક્ષના લગભગ 20 લોકો સ્થળ પર ભેગા થયા અને તેમણે કાર ચાલક સીતારામને બહાર કાઢ્યો અને રસ્તા પર તેને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું. ગંભીર ઈજાઓને કારણે સીતારામનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 

આ પણ વાંચો: મહિલાના બળજબરીપૂર્વક કપડાં ઉતારવા પણ દુષ્કર્મ ગણાય, હાઈકોર્ટે દોષિતની 10 વર્ષની સજા યથાવત્ રાખી

આ હત્યાના સમાચાર ફેલાતા જ શહેરમાં ગુસ્સો ફેલાઈ ગયો. બજારો બંધ થઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈને આરોપીઓની ધરપકડની માંગ કરી. મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. ધારાસભ્ય ગોપીચંદ મીણા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા.

પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી

પોલીસે મૃતક સીતારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. મુખ્ય આરોપી શરીફ પુત્ર ચાંદ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 16 નામાંકિત અને 20 અન્ય અજાણ્યા લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં, શહેરમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે.