કૈપ્ટન વિક્રમ બત્રા: એક એવુ નામ જેમના બહાદુરી અને શૌર્યના કિસ્સાઓ પાકિસ્તાનના ઘુસપેઠીઓમાં પણ હતા પ્રખ્યાત
-કેપ્ટન બત્રા કારગિલ યુદ્વના હિરોની સાથે સાથે એક એવુ નામ હતા જેમના બહાદુરી અને શૌર્યના કિસ્સાઓ પાકિસ્તાનના ઘુસપેઠીઓમાં પણ પ્રખ્યાત હતા
અમદાવાદ, તા.7 જુલાઇ 2022, ગુરુવાર
હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં 9 સપ્ટેમ્બર 1974નાં રોજ વિક્ર્મ બાત્રાનો જન્મ થયો હતો. પિતા ગિરધારી લાલ અને માતા કમલ કાંતા બત્રા હતા,પાલનપુરમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે કરાટે પણ શીખ્યા. જે બાદ તેમણે ચંદીગઢથી MA કર્યું હતુ.
કેપ્ટન બત્રાને પોતાના શૌર્યને કારણે ઘણા નામથી નવાજવામાં આવ્યા હતા તે ટાઇગર ઓફ દ્રાસ, લાયન ઓફ કારગિલ પણ કહેવામાં આવતા હતા.
કારગિલ યુદ્વ
23 વર્ષ બાદ પણ આ જાંબાજ સૈનિકની વિરતાના કિસ્સાઓ આજે પણ દેશના લોકોમાં જોશ ભરી દે છે. કારગિલ યુદ્વની જો વાત કરીએ તો, પોઇન્ટ 4875 સૌથી મુશ્કેલ ચટ્ટાનોમાંથી એક હતો, કારણ કે આ જગ્યાએ સાંકળી જગ્યામાંથી પસાર થવુ પડતુ અને દુશ્મન તમને સરળતાથી નિશાન બનાવી શકતા હતા.
પરંતૂ વિક્રમ બત્રાને દુશ્મન રોકી ન શક્યા અને તેઓ ગ્રેનેડ ફેંકતા રસ્તાને સાફ કરી દીધો, જે બાદ તેમણે ટીમમાં પણ જોશ ભરી દીધો હતો. જે બાદ તેમની ટીમે 4875 પર પાછા આવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું, આજે પણ પોઇન્ટ 4875 બત્રાના નામે ઓળખાય છે.
વિક્રમ બત્રાએ એક સમયે પોતાના મિત્રોને કહ્યું હતુ કે, "હું તિરંગો લહેરાવીને આવીશ અથવા તેમાં લપેટાઇને આવીશ."
પોઇન્ટ 5140
ભારતીય તોપની ફાયરિંગ વચ્ચે 20 જૂનની રાતે ઉપર ચઢાઇ કરવામાં આવી, જ્યારે સૈનિક ટારગેટથી 200 મીટર દુર હતા, જ્યારે તોપ દ્વારા હુમલો બંધ કરવામાં આવ્યો ત્યારે પાકિસ્તાની સૈનિક પોતાના બંકરમાંથી બહાર આવીને ભારતીય જવાનો પર હુમલો કર્યો, ત્યારે બત્રા અને જામવાલે આર્ટીલરી સાથે સંપર્ક કરીને દુશ્મનોના જવાબમાં હુમલો ત્યાં સુધી કર્યો જ્યાં સુધી બંને સૈનિક 100 મીટર નજીક ન પહોંચી ગયા.
કારગિલ યુદ્વમાં વિક્રમ બત્રાએ 5140 પર તિરંગો લહેરાવ્યો છે, જે બાદ 4875 દરમિયાન તેમણે દેશ માટે બલિદાન આપ્યુ.
વિક્રમ બત્રા જ્યારે બે ઘાયલ સૈનિકોની મદદ કરી રહ્યાં હતા, ત્યારે તે ઘાયલ સિપાહીઓને ઉઠાવીને નીચે લઇ જઇ રહ્યાં હતા, તે દરમિયાન પાકિસ્તાન સૈનિકે તેમને ગોળી મારી. કૈપ્ટન વિક્રમ બત્રા 24 વર્ષની ઉમરમાં જ શહીદ થઇ ગયા.
વિક્રમ બત્રાને 1999માં તેમના શૌર્ય માટે પમરવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા. કૈપ્ટન વિક્રમ બત્રાને એક સાહસ અને બલિદાન માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
બત્રાનું યે દિલ માંગે મોર, 'પેપ્સી'ની જાહેરાતનું પ્રખ્યાત આઇકોનિક સુત્ર આપેલુ જે દેશભરમાં ફેલાયુ અને લાખો ભારતીયોનું માનીતું સુત્ર બન્યું.
ફિલ્મ
કેપ્ટન વિક્રમ બત્રાના સાહસ અને શૌર્યને લોકો સુધી પહોંચાડવા માટે તેમના પર એક ફિલ્મ પણ બની, જેનુ નામ શેરશાહ હતુ. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. 2021માં આ ફિલ્મ રજૂ થઇ હતી.