India

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત

By GS TEAM
28 Oct 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીત કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે આજે (28 ઓક્ટોબર) દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત આપતા વર્તમાન 2025-26 રવી સીઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ ખાતરો પર કુલ રૂપિયા 37,952 કરોડની સબસિડી મંજૂર કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત

Fertilizer Subsidy : કેન્દ્રીત કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે આજે (28 ઓક્ટોબર) દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત આપતા વર્તમાન 2025-26 રવી સીઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ ખાતરો પર કુલ રૂપિયા 37,952 કરોડની સબસિડી મંજૂર કરી દીધી છે.

ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર

સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે, ‘રવી સીઝન માટે મંજૂર કરાયેલી આ સબસિડી ગયા વર્ષની સરખામણીમાં આશરે રૂપિયા 14000 કરોડ વધુ છે.’ આ નિર્ણય બાદ હવે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી શકશે.


આ પણ વાંચો : શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત

જાણો કયા ખાતરમાં કેટલી મળશે સબસિડી

કેબિનેટના નિર્ણય મુજબ, પહેલી ઓક્ટોબરથી લાગુ થયેલા પોષક તત્વો આધારિત સબસિડી (NBS) યોજના હેઠળ નવા દર જાહેર કરાયા છે. તે મુજબ નાઇટ્રોજન (N) માટે રૂપિયા 43.02, ફોસ્ફોરસ (P) માટે રૂપિયા 47.96, પોટાશ (K) માટે રૂપિયા 2.38 અને સલ્ફર (S) માટે રૂપિયા 2.87 પ્રતિ કિલોગ્રામ સબસિડી આપવામાં આવશે.


સબસિડીથી ખેડૂતોને સીધો લાભ થશે

આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને સીધો લાભ થવાની અપેક્ષા છે, કારણ કે રવી સિઝનમાં ઘઉં, ચણા અને સરસવ જેવા મુખ્ય પાકોની વાવણી દરમિયાન ખાતરોની માંગ વધુ હોય છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે, કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા જળવાશે અને ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત થશે.


આ પણ વાંચો : ‘આપણે ડોકટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ જાણો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કરી ટિપ્પણી