Get The App

શું તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા ઇચ્છો છો ? તો ઇ-વાહન ખરીદવા પર સરકાર આપશે વ્યાજ સહાય

Updated: Jul 5th, 2019

GS TEAM

Google News
Google News
શું તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા ઇચ્છો છો ? તો ઇ-વાહન ખરીદવા પર સરકાર આપશે વ્યાજ સહાય 1 - image

નવી દિલ્હી, તા. 5 જુલાઇ 2019, શુક્રવાર

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં પોતાના બજેટમાં ઓટે ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરતા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ભારે છૂટ આપવાની જાહેરાત કરી છે. 

સરકારે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ઇ-કાર રજીસ્ટ્રેશન ફી નહિ આપવી પડે. બીજી વખત રજીસ્ટ્રેશન કરવા પર પણ ડ્યુટી નહી લાગે. ઉપરાંત આજે બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પર અત્યારે 12 ટકાના દરથી GST લાગે છે જે ઘટાડીને 5 ટકા કરી દીધો છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડ રૂપિયા ફાળવ્યાં છે.

ઇ-વાહન ખરીદવા રૂ. 1.5 લાખ સુધીની વ્યાજ સહાય આપશે. જેથી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં પ્રોત્સાહન મળશે. સરકાર ઇલે. વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ અને પેટ્રોલિયમ ઇંધણ પર વધતી નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. નીતિ આયોગે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 2030માં ફક્ત ઇલેક્ટ્રિક વાહન વેચવાની યોજના છે.

સરકારની યોજના છે કે 2023થી બધા દ્વીચકરી અને ત્રણ પૈડાવાળા વાહનોને વિજળીથી ચલાવવા જોઇએ અને 2026થી બધા કોમર્શિયલ વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઇએ. જાણકારો જણાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સના દર ઓછા થતાં ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે સુલભ થઇ જશે.

સીતારમણે કહ્યું કે એફએમઇ 2 યોજનાનો ઉદ્દેશ્ય છે કે ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી લોકો સ્વીકારે. તે માટે યોગ્ય પ્રોત્સાહન અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કરી રહી છે. 


Tags :