India

ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી ખાસ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદો માટે કડક સૂચના જાહેર કરી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે 'થ્રી-લાઇન વ્હિપ' જાહેર કરીને 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દરેક સભ્યએ સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક 'મહિલા અનામત સુધારા બિલ' પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જે સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો

BJP Three-Line Whip: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી ખાસ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદો માટે કડક સૂચનાઓ જાહેર કરી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે 'થ્રી-લાઇન વ્હિપ' જાહેર કરીને 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દરેક સભ્યએ સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક 'મહિલા અનામત સુધારા બિલ' પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જે સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે.

ભાજપનો 'થ્રી-લાઇન વ્હિપ': સાંસદોની હાજરી અનિવાર્ય

ભાજપ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારથી શનિવાર સુધી તમામ સભ્યોની હાજરી અનિવાર્ય છે અને વ્હિપનું કડક પાલન કરવું પડશે. આ ખાસ સત્રને કારણે દેશમાં રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દે પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને સીમાંકન (Delimitation) જેવા પાસાઓ પર સ્પષ્ટતા કરવામાં આવે.

આ પણ વાંચો: 2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ

ખડગેનો પીએમ મોદીને પત્ર: સર્વપક્ષીય બેઠકની માંગ

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે મહિલા અનામત બિલ અને બંધારણીય સુધારા અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે. વિપક્ષે એવો આરોપ પણ લગાવ્યો છે કે આ ખાસ સત્ર વિરોધ પક્ષોને વિશ્વાસમાં લીધા વિના બોલાવવામાં આવ્યું છે અને ઘણી મહત્ત્વની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે. સરકાર આ બિલ દ્વારા એક મોટો સામાજિક અને રાજકીય ફેરફાર લાવવાની વ્યૂહનીતિ ઘડી રહી છે, જેના પર હવે સમગ્ર દેશની નજર છે.