India

મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું - 'બચાવી લો, પૂરમાં બધું બરબાદ થઈ જશે...'

By GS TEAM
10 Sep 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં, ગંગા નદીના કિનારાનું ધોવાણ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગંગાના તેજ પ્રવાહને કારણે આ ઘટના બની, જેનાથી ગામો અને ખેતરો ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. જ્યારે કૌશલ્ય વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કપિલ દેવ અગ્રવાલ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા, ત્યારે ગ્રામજનોએ તેમની સામે રડીને અને પગ પકડીને મદદ માટે આજીજી કરી. લોકોનો ગુસ્સો સિંચાઈ વિભાગની બેદરકારી પર પણ ઉતર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું - 'બચાવી લો, પૂરમાં બધું બરબાદ થઈ જશે...'

Bijnor Flood: ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં, ગંગા નદીના કિનારાનું ધોવાણ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગંગાના તેજ પ્રવાહને કારણે આ ઘટના બની, જેનાથી ગામો અને ખેતરો ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. જ્યારે કૌશલ્ય વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કપિલ દેવ અગ્રવાલ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા, ત્યારે ગ્રામજનોએ તેમની સામે રડીને અને પગ પકડીને મદદ માટે આજીજી કરી. લોકોનો ગુસ્સો સિંચાઈ વિભાગની બેદરકારી પર પણ ઉતર્યો છે.

મંત્રી સામે ગ્રામજનોએ પગ પકડ્યા

છેલ્લા ચાર દિવસથી ગંગાના પ્રવાહ દ્વારા કિનારાનું ધોવાણ થઈ રહ્યું છે, તેમ છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હતું. બે દિવસ પહેલા ધોવાણ વધતાં અધિકારીઓએ બચાવ કાર્ય શરુ કર્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને લગભગ 500 મીટર કિનારો ગંગામાં સમાઈ ગયો હતો. આ કારણે બિજનૌર શહેરના અમુક ભાગો અને એક ડઝનથી વધુ ગામો ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. આ ડરથી ગ્રામજનોએ મંત્રી સામે રડીને આજીજી કરી, જેમાં એક વ્યક્તિએ કહ્યું, 'મંત્રીજી, બધું બરબાદ થઈ જશે, બચાવી લો, હું તમારા પગ પકડું છું.'

મંત્રીએ કડક સૂચનાઓ આપી

પ્રભારી મંત્રી કપિલ દેવ અગ્રવાલે અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે, 'કોઈપણ ભોગે કિનારાને તૂટતા અટકાવવો. મુખ્યમંત્રીએ પણ કોઈપણ પ્રકારની જાનહાનિ ન થવા દેવાની સૂચના આપી છે. શક્ય તમામ ઉપાયો કરો જેથી લોકોના જીવ અને સંપત્તિને સુરક્ષિત રાખી શકાય.' બીજી તરફ, ગ્રામજનો અને પ્રશાસનની ટીમ મળીને કિનારાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ રેતી ભરેલા કોથળા અને લાકડાના ટેકા લગાવીને ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, 'મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું...'

લોકોએ પોતાના ઘર છોડ્યા

ખતરાને જોતાં પ્રશાસને આસપાસના ગામોના લોકોને પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવાનું કહ્યું છે. કેટલાક ગ્રામજનોએ પોતાના ઘર છોડીને ગામની ઊંચી જગ્યાઓએ ઝૂંપડીઓ બનાવીને રહેવાનું શરુ કરી દીધું છે. કિનારો હજુ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી અને તેના તૂટવાનો ભય સતત રહે છે. ગ્રામજનોને ડર છે કે જો કિનારો તૂટશે તો તેમના ઘર અને ખેતરો સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જેનાથી તેમનું જીવન બરબાદ થઈ જશે.