India

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં

By GS TEAM
14 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીના ગરમાગરમી વચ્ચે JDU ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ સોમવારે અચાનક CM હાઉસની બહાર ધરણા પર બેસી ગયા હતા. તેમણે કહ્યું કે, 'હું મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા આવ્યો છું અને સવારે 8:30 વાગ્યાથી અહીં રાહ જોઈ રહ્યો છું.' પત્રકારો સાથે વાત કરતા ગોપાલ મંડલે કહ્યું કે, 'હું મુખ્યમંત્રીને મળવા માંગુ છું. હું સવારથી રાહ જોઈ રહ્યો છું. મને ચૂંટણી ટિકિટ મળશે. ટિકિટ લીધા વિના હું અહીંથી નહીં જઉં.'

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીના ગરમાગરમી વચ્ચે JDU ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ  CM હાઉસની બહાર ધરણા પર બેસી ગયા છે. તેમણે કહ્યું કે, 'હું મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા આવ્યો છું અને સવારે 8:30 વાગ્યાથી અહીં રાહ જોઈ રહ્યો છું.' પત્રકારો સાથે વાત કરતા ગોપાલ મંડલે કહ્યું કે, 'હું મુખ્યમંત્રીને મળવા માંગુ છું. હું સવારથી રાહ જોઈ રહ્યો છું. મને ચૂંટણી ટિકિટ મળશે. ટિકિટ લીધા વિના હું અહીંથી નહીં જઉં.'


 JDUના વરિષ્ઠ નેતાઓ પર ટિકિટ કાપવાનો આરોપ

ગોપાલ મંડલે આગળ કહ્યું કે, JDUના કેટલાક વરિષ્ઠ નેતાઓ મારી વિરુદ્ધ રાજનીતિ કરી રહ્યા છે. તેઓ મારી ટિકિટ કાપવા માગે છે, તેથી તેઓ આજકાલ મારા વિરોધી અજય મંડલ ઉર્ફે બુલો મંડલના સંપર્કમાં છે. તેઓ તેમને ટિકિટ આપવા માગે છે. મેં મુખ્યમંત્રી નીતિશ કુમારને મારા નેતા તરીકે સ્વીકાર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. બીજી તરફ ગોપાલપુરના ધારાસભ્ય ગોપાલ મંડલના આ પગલાથી JDU કેમ્પમાં હલચલ મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાર્ટીના ઘણા વર્તમાન ધારાસભ્યોમાં સીટ-વહેંચણી પ્રક્રિયાથી નારાજગી છે. કેટલીક બેઠકો પર નવા ચહેરાઓને તક આપવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે જૂના ધારાસભ્યોમાં નારાજગી છે. બીજી તરફ CM હાઉસના સુરક્ષા કર્મચારીઓએ મુખ્યમંત્રી કાર્યાલયને આ ઘટનાની જાણકારી આપી દીધી છે અને ગોપાલ મંડલ સાથે વાતચીત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.'

આ પણ વાંચો: બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો