લખીમપુરમાં 450 હેક્ટર જમીનને ખાલી કરાવવાનું અભિયાન શરૂ
- પ્રથમ તબક્કામાં 200 હેક્ટર જમીનને કેન્દ્રિત કરાઈ
- આ અભિયાનમાં 500 કરતા વધારે પરિવારને અસર થઈ
નવી દિલ્હી,તા.10 જાન્યુઆરી 2023,મંગળવાર
આસામના લખીમપુર જિલ્લામાં ગેરકાયદે રહેવાસીઓની 450 હેક્ટર જંગલની જમીનને ખાલી કરાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આરક્ષિત જંગલના 2,560.25 હેક્ટરમાં ફક્ત 29 હેક્ટર હાલમાં કોઈ પણ અતિક્રમણથી મુક્ત છે. અધિકારીઓએ આ વિશે જાણકારી આપી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, પાવો આરક્ષિત વેન હેઠળ 450 હેક્ટરની જમીનને સાફ કરવા માટેના અભિયાનમાં 500 કરતા વધારે પરિવારને અસર થઈ છે, મંગળવારે પ્રથમ તબક્કામાં 200 હેક્ટર જમીનને કેન્દ્રિત કરવામાં આવી હતી.
લખીમપુરના પોલીસ અધિક્ષક રૂના નેઓગ એ કહ્યું કે, 60 કરતા વધારે ઉત્ખનન અને ટ્રેક્ટર અને 600 સુરક્ષાકર્મીઓ સવારથી કાર્યવાહી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, સવારના સાડા સાત વાગયાનું અભિયાન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે અને અમારે હજી સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
તેમણે કહ્યું કે, સુરક્ષાદળો છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારની દેખરેખ કરી રહ્યા હતા અને ગેરકાનૂની રહેવાસીઓને ઘર ખાલી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સૂત્રો પ્રમાણે, મોઘુલી ગામમાં 299 મકાનવાળી 200 હેક્ટર જમીનને મંગળવારે સાફ કરવામાં આવશે. લગભગ 200 પરિવારો સાથે આધાસોના ગામમાં બાકી 250 હેક્ટર જમીન દિવસના અજવાળા પર આધાર રાખે છે, બુધવારે કાં તો મંગળવાર પછી લેવામાં આવશે.