India

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
તેલંગાણાના પ્રતિષ્ઠિત રાજ્ય ગીત 'જય જય હે તેલંગાણા'ના લેખક અને પ્રસિદ્ધ કવિ આન્દે શ્રીનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. તેમના અવસાનથી સમગ્ર તેલંગાણાના સાહિત્ય અને સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

Poet Ande Sri Died : તેલંગાણાના પ્રતિષ્ઠિત રાજ્ય ગીત 'જય જય હે તેલંગાણા'ના લેખક અને પ્રસિદ્ધ કવિ આન્દે શ્રીનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. તેમના અવસાનથી સમગ્ર તેલંગાણાના સાહિત્ય અને સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

બે દિવસ અગાઉ તબીયત લથડી હતી 

પરિવારજનોએ જણાવ્યું કે, બે દિવસ પહેલા આન્દે શ્રીની તબિયત અચાનક બગડી હતી અને તેમને ખૂબ પરસેવો વળી રહ્યો હતો. સોમવારે સવારે તેઓ પોતાના ઘરમાં જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કોણ હતા આન્દે શ્રી?

આન્દે શ્રીનું પૂરું નામ આન્દે યેલૈયા હતું. તેમણે તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટેના આંદોલનમાં પોતાના લેખન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2023માં જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી, ત્યારે આન્દે શ્રી દ્વારા લખાયેલા ગીત 'જય જય હે તેલંગાણા'ને રાજ્ય ગીત તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું, જે તેમના માટે એક મોટું સન્માન હતું. તેમના નિધનથી તેલંગાણાએ એક મહાન સાહિત્યકાર ગુમાવ્યો છે.