Get The App

અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો 1 - image


Ajit Pawar Setback: નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ)ના તમામ સાત ધારાસભ્યો શનિવારે શાસક NDPPમાં જોડાયા, જેનાથી મુખ્યમંત્રી નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને 60 સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી. આ વિલીનીકરણ સાથે રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના ધારાસભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ.

એનસીપીએ 12 બેઠકો જીતી

શરદ પવારની પાર્ટી એનસીપીમાં ભાગલા પડ્યા પછી નાગાલેન્ડ યુનિટે અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને ટેકો આપ્યો હતો. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને તેના સાથી ભાજપ પછી એનસીપી રાજ્યમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, તેણે 12 બેઠકો જીતી.

વિધાનસભા અધ્યક્ષ શેરિંગેન લોંગકુમેર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ સાત ધારાસભ્યો રૂબરૂ હાજર થયા અને એનડીપીપીમાં ભળી જવાના નિર્ણયને દર્શાવતા ઔપચારિક પત્રો સુપરત કર્યા. તેમણે કહ્યું કે, 'આ વિલીનીકરણ બંધારણની 10મી અનુસૂચિ હેઠળ બંધારણીય આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.'

વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોના વિલીનીકરણને મંજૂરી આપી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાગાલેન્ડ વિધાનસભા સભ્યો (પક્ષપલટાના આધારે ગેરલાયકાત) નિયમ 2019 અનુસાર, વિધાનસભા અધ્યક્ષે વિલીનીકરણને મંજૂરી આપી અને વિધાનસભા સચિવાલયને તે મુજબ પક્ષ જોડાણ રેકોર્ડ અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો. રાજ્ય સરકારના મંત્રી કેજી કેન્યેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, '7 એનસીપી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને તેમનો વિલીનીકરણ પત્ર સુપરત કર્યો હતો, જેને તેમણે ઉદારતાથી સ્વીકાર્યો છે. આ ઉપરાંત 14મી નાગાલેન્ડ વિધાનસભામાં એનડીપીપી સભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ છે.'

અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો 2 - image




Tags :