Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: 'હજુ તપાસ પૂર્ણ નથી થઈ', પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: 'હજુ તપાસ પૂર્ણ નથી થઈ', પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા 1 - image


Ahmedabad Plane Crash : એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) એ એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 અકસ્માત અંગે અપ્રમાણિત અહેવાલોના આધારે તારણો કાઢવાના આંતરરાષ્ટ્રીય મીડિયાના કેટલાક વર્ગો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ અહેવાલ ફક્ત અકસ્માતમાં શું થયું તે સમજાવવા માટે છે અને તપાસ હજુ પૂર્ણ થઈ ન હોવાથી કોઈ ચોક્કસ તારણો કાઢવાનું વહેલું ગણાશે.

પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા

ઈન્ડિયન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 દુર્ઘટનાને લઈને ઇન્ટરનેશનલ મીડિયાના કેટલાક વર્ગો દ્વારા અનવેરિફાઈ રિપોર્ટિંગના આધાર પર તારણો શોધવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે. એજન્સીએ કહ્યું કે, પ્રારંભિક તપાસ રિપોર્ટનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવાનો છે કે દુર્ઘટનામાં શું થયું અને હજુ કોઈ અંતિમ તારણો કાઢવો એ ઉતાવળ હશે, કારણ કે તપાસ હજુ પૂર્ણ નથી થઈ.

AAIBએ કહ્યું કે, અમને એ ધ્યાનમાં આવ્યું છે કે, ઇન્ટરનેશનલ મીડિયાના કેટલાક વર્ગ વારંવાર અનવેરિફાઈ રિપોર્ટિંગ દ્વારા આ દુર્ઘટનાનો તારણો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બેજવાબદારીભર્યું છે, ખાસ કરીને જ્યારે તપાસ હજુ ચાલી રહી છે.

આ પણ વાંચો: 'તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય', અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ

તપાસ માટે ખતરો છે બેજવાબદારી ભર્યું રિપોર્ટ

AAIBએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રકારના બેજવાબદારીભર્યું રિપોર્ટિંગથી ન માત્ર તપાસ પ્રક્રિયાને ખતરો છે, પરંતુ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો, ક્રૂ મેમ્બર અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોના પરિવારોની સંવેદનાઓને પણ ઠેસ પહોંચશે.

AAIBએ ભારત આપતા કહ્યું કે, પ્રારંભિક તપાસ રિપોર્ટનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવાનો છે કે શું થયું હતું. આ સ્તર પર કોઈ નિશ્ચિત તારણો શોધવો ઉતાવળ હશે, કારણ કે તપાસ હજુ પૂર્ણ નથી થઈ અને અંતિમ તપાસ રિપોર્ટ જલ્દીથી દુર્ઘટનાના મૂળ કારણો અને વિનંતીઓની સાથે તમામની સામે રાખવામાં આવશે.

100થી વધુ ઘટનાઓની તપાસ કરી ચૂક્યું છે AAIB

AAIBએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેઓ વિમાન નિયમ, 2017 અને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ના અનુચ્છેદ 13 હેઠળ ભારત સરકારની જવાબદારીઓને પૂરી કરવા માટે કામ કરે છે. 2012માં પોતાની સ્થાપના બાદથી AAIBએ 92 દુર્ઘટનાઓ અને 111 ગંભીર ઘટનાઓની તપાસનો એક બેદાગ રેકોર્ડ બનાવ્યો છે.

AI171 દુર્ઘટના હાલના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી વિનાશકારી દુર્ઘટનાઓમાંથી એક છે અને તેની તપાસ AAIB નિયમો અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલના અનુસાર કઠોર રીતે કરાઈ રહી છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

AAIBએ લોકોને કરી અપીલ

AAIB અંતમાં મીડિયા અને જનતાને અપીલ કરતા કહ્યું કે, તેઓ અનવેરિફાઈ ફેક્ટ્સના આધાર પર સમય પહેલા તારણો કાઢવા અને આવા સમાચારો ફેલાવવાથી બચો જે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગની સુરક્ષા પ્રત્યે જનતામાં ચિંતા અને આક્રોશ પૈદા કરી શકે છે. બ્યૂરોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારોની સંવેદનાઓનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફર અને અન્ય 29 લોકોના મોત થયા હતા.

Tags :