Get The App

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત 1 - image


AAP and Congress Workers Clash : પંજાબમાં સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે. ત્યારે એક રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. 

કોંગ્રેસના કાર્યકરો પર ગંભીર આરોપ 

લુધિયાણા જિલ્લામાં જીતની ઉજવણીમાં હિંસક અથડામણની ઘટના થઈ છે. પોલીસ પરિસ્થિતિ થાળે પાડી તપાસ શરૂ કરવાના પ્રયાસ કરી રહી છે. ઈજાગ્રસ્તોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આરોપ છે કે તેઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસ નેતાઓ આવ્યા અને વિવાદ થયો. વિવાદમાં મારામારીની સાથે ફાયરિંગનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હિંસક અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ઈજાગ્રસ્તોના નામ 

ગુરમુખ સિંહ 

રવીન્દ્ર સિંહ 

મનદીપ સિંહ 

નોંધનીય છે કે પંજાબમાં જિલ્લા પરિષદ અને પંચાયત ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. AAPના પ્રમુખ કેજરીવાલે આજે કહ્યું હતું, કે 70 ટકા જિલ્લા પરિષદો અને બ્લોક સમિતિઓમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સરકારના કામો પર ગ્રામીણ જનતાએ મહોર લગાવી છે. 

ભાજપ અપક્ષ કરતાં પણ પાછળ

પંજાબ જિલ્લા પરિષદ ચૂંટણીના અંતિમ પરિણામ જાહેર થઈ ગયા છે. 346 ઝોનમાંથી 218 પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ 62, શિરોમણી અકાલી દળ 46, ભાજપ 7 અને બસપા 3 ઝોન પર સમેટાઈ છે. જ્યારે 10 ઝોનમાં અપક્ષનો વિજય થયો છે. નોંધનીય છે કે 22 ઝોનમાં આપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.