India

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ

By GS TEAM
27 Mar 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓમાં ઉંમરના પ્રમાણને લઈને મોટો ફેરફાર કર્યો છે. સરકારી કોઈ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ પર નોંધાયેલી જન્મતારીખને માન્ય પુરાવા તરીકે ગણવામાં નહીં આવે. નવા દિશા-નિર્દેશ અનુસાર, આધાર કાર્ડ ફક્ત ઓળખના પુરાવા તરીકે માન્ય રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ

Aadhaar Not Valid for Age Proof: કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓમાં ઉંમરના પ્રમાણને લઈને મોટો ફેરફાર કર્યો છે. સરકારી કોઈ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ પર નોંધાયેલી જન્મતારીખને માન્ય પુરાવા તરીકે ગણવામાં નહીં આવે. નવા દિશા-નિર્દેશ અનુસાર, આધાર કાર્ડ ફક્ત ઓળખના પુરાવા તરીકે માન્ય રહેશે.

આધાર કાર્ડ હવે ઉંમરનો પુરાવો નહીં ગણાય

કુટુંબ નોંધણી અને શૈક્ષિણક પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખને જ માન્ય ગણવામાં આવશે. પહેલા યોજનાઓમાં આધાર કાર્ડ પર લખેલી જન્મતારીખના આધારે માન્યતા આપવામાં આવતી હતી, પરંતુ હવે આવું નહીં થાય.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

કેન્દ્ર સરકારે કહ્યું કે, આધારમાં નોંધાયેલી જન્મ તારીખ ઘણીવાર સ્વ-ઘોષિત હોય છે જેનાથી ખોટા લાભો મેળવવાની સંભાવના રહે છે. પરિણામે વિવિધ યોજનાઓમાં પારદર્શિતા અને યોગ્યતાની સચોટ ચકાસણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી હવે વય ચકાસણીના હેતુ માટે અન્ય સત્તાવાર દસ્તાવેજોને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલમાં વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને સમૂહ લગ્ન યોજના જેવી યોજનાઓ માટે આધાર કાર્ડ પર નોંધાયેલી જન્મ તારીખને માન્ય રાખી નથી.

અગાઉનો નિયમ

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી યોજનાઓમાં આધાર કાર્ડને ઓળખ અને ઉંમર બંનેના પુરાવા તરીકે સ્વીકારવામાં આવતું હતું. આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મ તારીખના આધારે પાત્રતા નક્કી કરવામાં આવતી હતી અને જન્મતારીખ સ્વતંત્ર રીતે ચકાસવામાં આવતી નહોતી.

કુટુંબ નોંધણી અને શૈક્ષિણક પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મતારીખ જ માન્ય ગણાશે

વધુમાં સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ફક્ત શૈક્ષણિક પ્રમાણપત્રો અથવા કુટુંબ નોંધણીમાં નોંધાયેલી જન્મતારીખ જ માન્ય ગણાશે. આ બંને દસ્તાવેજોમાં નોંધાયેલી જન્મતારીખ સરકારી અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. 

આ પણ વાંચો: PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઊર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમીક્ષા

ફેમિલી રજિસ્ટર શું છે?

ફેમિલી રજિસ્ટર એ ગ્રામીણ અને શહેરી બંને રહેવાસીઓ માટે ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ બોડી અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલો એક સરકારી દસ્તાવેજ છે. તેમાં પરિવારના વડા સહિત પરિવારના તમામ સભ્યોની માહિતી જેમ કે તેમના નામ, ઉંમર, સંબંધો, લિંગ, જાતિ, વ્યવસાય અને મૃત્યુની વિગતો રેકોર્ડ કરવામાં આવે છે. તેને 'ફેમિલી રજિસ્ટર એક્સટ્રેક્ટ' અથવા 'ફેમિલી આઈડી' તરીકે પણ ઓળખવામાં આવે છે.