યુપીના અલીગઢમાં 70 મજૂરોથી ભરેલી બસમાં આગ લાગી
- અલીગઢમાં મજૂરો ભરેલી બસ સાથે સર્જાઇ દુર્ઘટના
- ઈલેક્ટ્રીક લાઈન તૂટી જતાં બસમાં લાગ્યો કરંટ
- હાઇવોલ્ટેજ કરંટના કારણે બસમાં લાગી આગ
- આગમાં અનેક લોકો દાઝ્યા , બે મજૂરોની હાલત ગંભીર
નવી દિલ્હી,તા.9 નવેમ્બર 2022,બુધવાર
અલીગઢના દાદાસના આલમપુર બાયપાસ પર એક મોટી દુર્ઘટના થઈ હતી. કાસગંજ રોડ પર મજૂરોથી ભરેલી બસમાં હાઈ-ટેન્શન ઈલેક્ટ્રીક લાઈન તૂટી ગઈ જવાને કારણે બસમાં કરંટ આવી ગયો હતો અને આગ લાગી હતી. બસમાં લોકોની ચીસો પાડવા લાગ્યા હતા. બસમાં 70 ઈંટ ભઠ્ઠાના કામદારો હતા અને તેઓ મહોબાથી અલીગઢ તરફ આવી રહ્યા હતા. આ તમામને થાણા પાલીના ખુરડીયા ગામમાં એક ભઠ્ઠામાં કામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે બપોરે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 12થી વધુ કામદારો ઘાયલ થયા છે. મજૂરો સાથે તેનો ઘણો સામાન પણ હતો, જે બસની છત પર રાખવામાં આવ્યો હતો.
આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, બાયપાસ પરથી પસાર થતી વખતે બસની ઉપર મૂકવામાં આવેલા બંકમાં હાઈટેન્શન લાઈન ફસાઈ ગઈ હતી. હાઈ ટેન્શન લાઈન બંકમાં ફસાઈ જતાં તે તૂટી ગઈ હતી અને ચાલુ બસમાં નીચે ઉતરી ગઈ હતી. વીજ કરંટ પહેલા બસમાં ચીસો મચી ગઈ હતી અને જોત જોતાંમાં જ બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં લાગેલી આગ જોઈ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પહેલા તો વીજ તારના કારણે લોકો પસાર થતા ડરતા હતા, પરંતુ બાદમાં વીજ પુરવઠો બંધ થતાં લોકોએ ઘાયલોને મદદ કરવાનું શરૂ કર્યું હતું.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને ઘાયલોને બચાવી લીધા હતા. આ પછી ગામના લોકો ઘાયલોને લઈને તાત્કાલિક સીએચસી તરફ દોડી ગયા હતા. ઘાયલોને સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં 2 મજૂરોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તે જ સમયે, 15 મજૂરો અને બાળકો સામાન્ય રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. મજૂરોએ જણાવ્યું હતું કે, ઈંટના ભઠ્ઠામાં કામ કરવા જઈ રહ્યા હોવાથી તેઓને ભઠ્ઠામાં જ રહેવાનું અને ખાવાનું હતું. આથી તે પોતાની સાથે પરિવાર, બાળકો અને ખાણીપીણીની વસ્તુઓ પણ લાવ્યા હતા. તેને ખુરડીયા ગામમાં એક ભઠ્ઠામાં ઈંટો બનાવવાનું કામ મળ્યું હતું. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, બાયપાસ પાસેની મોટાભાગની ઈલેક્ટ્રીક હાઈ ટેન્શન લાઈનો જૂની અને જર્જરિત છે. તેમજ તે રસ્તાની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં, આગળ જતા વાહનોમાં તેમને સ્પર્શ કરવાનો ભય હંમેશા રહે છે.