mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નવી સરકારમાં 72 મંત્રી: કોને કેવો બંગલૉ આપવો તે કેવી રીતે થાય છે નક્કી? વરિષ્ઠ સાંસદોને મળે છે આ લાભ

Updated: Jun 11th, 2024

નવી સરકારમાં 72 મંત્રી: કોને કેવો બંગલૉ આપવો તે કેવી રીતે થાય છે નક્કી? વરિષ્ઠ સાંસદોને મળે છે આ લાભ 1 - image


Image: Facebook

Government Bungalow Allotment Rules: કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સરકાર બની ચૂકી છે. વડાપ્રધાન સહિત 72 મંત્રી શપથ લઈ ચૂક્યા છે. હવે 18મી લોકસભા માટે સાંસદોનું શપથ ગ્રહણ થવાનું છે. પહેલેથી જ મંત્રી અને સાંસદ રહી ચૂકેલા નેતાઓની પાસે તો આવાસ છે પરંતુ નવા પસંદ કરાયેલા સાંસદો અને મંત્રીઓને દિલ્હીમાં આવાસ ફાળવવામાં આવશે. સવાલ ઉઠે છે કે કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને સરકારી આવાસ કેવી રીતે ફાળવવામાં આવે છે. સાંસદો અને મંત્રીઓને બંગલૉની ફાળવણી વરિષ્ઠતાના આધારે કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને દિલ્હીના લુટિયન્સ ઝોનમાં આવાસ ફાળવવામાં આવે છે. આ માટે જનરલ પૂલ રેસિડેન્શિયલ એકમોડેશન એક્ટના નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે છે.

આ કાયદા હેઠળ આવાસ મળે છે

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલય હેઠળ વર્ષ 1922માં એક વિભાગ બનાવવામાં આવ્યો હતો, ડાયરેક્ટરેટ ઓફ સ્ટેટસ. આ વિભાગની પાસે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની સંપત્તિઓની સારસંભાળની જવાબદારી હોય છે. મંત્રીઓ અને સાંસદોના બંગલૉ અને ફ્લેટની સારસંભાળ પણ આની જ પાસે હોય છે. ફાળવણી અને ઘર ખાલી કરાવવાની જવાબદારી પણ આની જ હોય છે. આમ તો સાંસદોને આવાસ ફાળવણી કરાવવામાં આ વિભાગની સાથે જ લોકસભા અને રાજ્યસભાની આવાસીય સમિતિ પણ મોટી ભૂમિકા નિભાવે છે. આવાસની ફાળવણી જનરલ પૂલ રેસિડેન્શિયલ એકમોડેશન એક્ટ હેઠળ કરવામાં આવે છે.

દિલ્હીમાં અહીં છે સરકારી આવાસ

લુટિયન્સ ઝોનમાં અલગ-અલગ 17 પ્રકારની સરકારી કોઠીઓ, ઘર, હોસ્ટેલ, ફ્લેટ અને ગેસ્ટ હાઉસ છે. સેન્ટ્રલ દિલ્હીના નોર્થ એવન્યુ, સાઉથ એવન્યુ, વિશ્વંભર દાસ માર્ગ, મીના બાગ, બાબા ખડગ સિંહ માર્ગ, તિલક લેન અને વિઠ્ઠલ ભાઈ પટેલ હાઉસમાં સરકારી આવાસ છે, જે કેબિનેટ, રાજ્ય મંત્રીઓ અને સાંસદોને ફાળવવામાં આવે છે. કુલ આવાસોની સંખ્યા 3,959 જણાવાય છે, જેમાંથી લોકસભા સભ્યો માટે કુલ 517 આવાસ ઉપલબ્ધ છે, જેમાંથી 159 બંગલૉ છે. આ સિવાય 37 ટ્વીન ફ્લેટ છે. 193 સિંગલ ફ્લેટ, બહુમાળી ઈમારતોમાં 96 ફ્લેટ અને સિંગર રેગ્યુલર હાઉસ 32 છે.

કેબિનેટ મિનિસ્ટર જેવા બંગલૉમાં રહે છે વરિષ્ઠ સાંસદ

વરિષ્ઠતા અને કેટેગરીના આધારે આવાસની ફાળવણી થાય છે. સૌથી નાના ટાઈપ-I થી ટાઈપ-IV સુધીના આવાસ કેન્દ્રીય કર્મચારીઓ અને અધિકારીઓને આપવામાં આવે છે. તે બાદ ટાઈપ-VIથી ટાઈપ-VIII સુધીના બંગલૉ અને આવાસ કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને સાંસદોને ફાળવવામાં આવે છે. પહેલી વખત ચૂંટાયેલા સાંસદોને સામાન્ય રીતે ટાઈપ-V બંગલૉ આપવામાં આવે છે. જો કોઈ સાંસદ એકથી વધુ વખત ચૂંટાઈને આવે છે તો તેને ટાઈપ-VII અને ટાઈપ-VII વાળો બંગલો પણ ફાળવવામાં આવી શકે છે. આ ટાઈપ-VIII વાળો બંગલો કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના જજ, પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ વડાપ્રધાન અને નાણાપંચના અધ્યક્ષને પણ ફાળવવામાં આવે છે.

સૌથી મોટો અને સારો બંગલો ટાઈપ-VIIIનો હોય છે

ટાઈપ-VIIIના બંગલૉ સૌથી સારી કેટેગરી માનવામાં આવે છે. આ બંગલો લગભગ ત્રણ એકર ક્ષેત્રફળમાં ફેલાયેલો હોય છે. તેની મેઈન બિલ્ડિંગમાં પાંચ બેડરૂમ હોય છે. આ સિવાય એક હોલ, એક ડાયનિંગ રૂમ અને એક સ્ટડી રૂમ પણ હોય છે. ગેસ્ટ માટે એક રૂમ અને એક સર્વન્ટ ક્વાર્ટર પણ હોય છે. આવા તમામ બંગલૉ જનપથ, ત્યાગરાજ માર્ગ, અકબર રોડ, કૃષ્ણા મેનન માર્ગ, સફદરજંગ રોડ, મોતીલાલ નેહરુ માર્ગ અને તુગલક રોડ પર બનેલા છે. 

ટાઈપ-VIIના બંગલૉમાં રાજ્ય મંત્રી અને રાહુલ ગાંધી રહે છે

આ બાદ બીજા નંબરે આવે છે ટાઈપ-VIIનો બંગલો જે દોઢ એકર ક્ષેત્રફળ સુધીમાં ફેલાયેલો હોય છે. આ બંગલૉમાં 4 બેડરૂમ હોય છે. આવા બંગલૉ અશોક માર્ગ, કુશક રોડ, લોધી એસ્ટેટ, તુગલક લેન અને કેનિંગ લેનમાં બનેલા છે. આ બંગલૉ સામાન્યરીતે રાજ્ય મંત્રીઓ, દિલ્હી હાઈકોર્ટના જજ અને પાંચ વખત સાંસદ રહેલા નેતાઓને આપવામાં આવે છે. રાહુલ ગાંધીનો ચર્ચામાં રહેલો બંગલો 12, તુગલક લેન આ ટાઈપનો છે.

પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાય તેને ટાઈપ-V આવાસ મળે છે

ટાઈપ-V વાળો બંગલો કે આવાસ પહેલી વખત સાંસદ બનીને આવેલા નેતાઓને મળે છે. પહેલી વખત સાંસદ પસંદ કરવામાં આવેલા કોઈ નેતા જો પોતાના રાજ્યમાં પહેલેથી ધારાસભ્ય કે મંત્રી રહ્યા હોય તો તેને ટાઈપ-VI વાળો બંગલો ફાળવવામાં આવે છે. આમ તો ટાઈપ-V માં અલગ-અલગ ચાર કેટેગરી હોય છે અને કેટેગરીના હિસાબે બંગલૉમાં એક બેડરૂમ વધુ હોય છે. ટાઈપ-V (એ)માં એક ડ્રોઈંગ રૂમ અને એક બેડરૂમ સેટ વાળું આવાસ ફાળવવામાં આવે છે. ટાઈપ-V (બી) માં એક ડ્રોઈંગ રૂમ અને બે બેડરૂમ હોય છે. આ સિવાય ટાઈપ-V (સી) માં ત્રણ બેડરૂમ અને એક ડ્રોઈંગરૂમ અને ટાઈપ-V (ડી)માં ચાર બેડરૂમ હોય છે. સાંસદો માટે ટ્વીન ફ્લેટ ટાઈપ-V (એ/એ), ટ્વીન ફ્લેટ ટાઈપ-V (એ/બી) અને ટ્વિન ફ્લેટ ટાઈપ V (બી-બી) પણ ફાળવવામાં આવે છે.

સારસંભાળની જવાબદારી પણ સરકારના શિરે હોય છે  

કોઈ નેતા જેટલો વરિષ્ઠ હોય કે જેટલા મોટા પદ પર પહોંચે છે. તેને એટલું જ મોટું આવાસ ફાળવવામાં આવે છે. કોઈ સાંસદને જો આવાસ ન મળી શકે અને તે દિલ્હીમાં હોટલમાં રહે છે તો તેનું ભાડું પણ સરકાર જ આપે છે. આ સિવાય આ તમામ બંગલૉ અને આવાસોમાં સાંસદોને મફત વિજળી અને પાણી સરકાર તરફથી આપવામાં આવે છે. પડદા ધોવા પણ સંપૂર્ણ પણે ફ્રી હોય છે. તેની સારસંભાળ માટે અલગથી ભથ્થું આપવામાં આવે છે. તેનો ખર્ચ 30 હજાર રૂપિયાથી વધુ હોવા પર શહેરી વિકાસ મંત્રાલયથી અપ્રૂવલ લેવું પડે છે. 30 હજાર કે તેનાથી ઓછાં ખર્ચ થવા પર પોતે આવાસ સમિતિ અપ્રૂવલ આપી દે છે.

Gujarat