Get The App

જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત 1 - image


Jammu and Kashmir Bus accident : જમ્મુના રામબનમાં શનિવારે પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા  36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા. 



આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પ માટે જતા કાફલામાં સામેલ હતી. દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. એક બસની બ્રેક ફેઈલ થઇ જવાને કારણે તેણે અન્ય બસોને ટક્કર મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય માટે મોકલી દેવામાં આવ્યા છે. 


Tags :