India

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત

By GS TEAM
7 Apr 20262 mins read
TukuTouch Logo
હરિયાણાના ગુરુગ્રામથી રિક્ષાચાલક મનોજ અને તેના બે માસૂમ પુત્રોનું અપહરણ કરનાર કિડનેપર્સ માટે બરેલીનો હાઈવે 'કાળ' સાબિત થયો છે. શનિવાર, 4 એપ્રિલના રોજ કિડનેપર્સ કિડનેપ કરવામાં આવેલા મયુર અને લક્ષ્યને બોલેરો દ્વારા ક્યાંક શિફ્ટ કરવા લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડી બરેલી-રામપુર હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં આરોપી મનમોહન, સિકંદર અને વિશેષનું મોત થઈ ગયું છે, જ્યારે પ્રિન્સ નામનો આરોપી ઘાયલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત

Kidnappers Killed In Road Accident: હરિયાણાના ગુરુગ્રામથી રિક્ષાચાલક મનોજ અને તેના બે માસૂમ પુત્રોનું અપહરણ કરનાર કિડનેપર્સ માટે બરેલીનો હાઈવે 'કાળ' સાબિત થયો છે. શનિવાર, 4 એપ્રિલના રોજ કિડનેપર્સ કિડનેપ કરવામાં આવેલા મયુર અને લક્ષ્યને બોલેરો દ્વારા ક્યાંક શિફ્ટ કરવા લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડી બરેલી-રામપુર હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં આરોપી મનમોહન, સિકંદર અને વિશેષનું મોત થઈ ગયું છે, જ્યારે પ્રિન્સ નામનો આરોપી ઘાયલ થયો છે. પોલીસ તપાસમાં આ સમગ્ર મામલો પ્રેમ સંબંધ અને કૌટુંબિક ઝઘડા સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી છે, જેમાં આરોપીઓએ ખંડણી અને ધમકીઓનો સહારો લીધો હતો.

રુંવાડા ઊભા કરી દે એવી દુર્ઘટના

રવિવારે સાંજે બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર બોલેરો કાર એક ટ્રક ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે નવી બોલેરો કારના પરખચ્ચા ઊડી ગયા. આ અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાંનો નજારો જોઈને દંગ રહી ગઈ. 

કારમાં ત્રણ યુવાનોના મૃતદેહ ફસાયેલા હતા, જ્યારે એક યુવાન અને બે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ ગતિવિધિને કારણે પોલીસને અપહરણની શંકા ગઈ.

સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હતું. મુખ્ય આરોપી મનમોહન રિક્ષાચાલક મનોજની ભાણી સાથે લગ્ન કરવા માંગતો હતો. મનોજ આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી વેર વાળવા માટે મનમોહને તેના સાથીદારો સિકંદર, વિશેષ અને પ્રિન્સ સાથે મળીને મનોજ અને તેના બે પુત્રો (6 વર્ષીય મયુર અને 3 વર્ષીય લક્ષ્ય) નું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા

મનોજની પત્ની પૂજાએ જણાવ્યું કે, પતિનો ફોન આવ્યા બાદ બદમાશોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે પૂજાને ચેતવણી આપી હતી કે, જો તે આ મામલે પોલીસને જાણ કરશે તો મૃતદેહો મળશે. જોકે, પોલીસની સતર્કતા અને આ અચાનક થયેલા અકસ્માતથી બદમાશોના ઈરાદા પર પાણી ફરી વળ્યું. 

પોલીસની કાર્યવાહી

અકસ્માતમાં ઘાયલ કિડનેપર પ્રિન્સની પૂછપરછ અને તેના મોબાઈલ ફોનની તપાસ બાદ પોલીસે કડી જોડી. પોલીસે ફોનમાંથી ઘણા શંકાસ્પદ વિડિઓ પણ મળ્યા. હાલમાં બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની માતા પૂજાએ તેમની ઓળખ કરી લીધી છે. બરેલી પોલીસે આ કેસ વિશેની તમામ માહિતી હરિયાણા પોલીસ સાથે શેર કરી છે. આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હવે હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે, જે બરેલી પહોંચી ગઈ છે.