Get The App

'દેશમાં પહેલી વાર ખાદી- ગ્રામોદ્યોગ લાખ કરોડનો આંક વટાવ્યો છે' : વડાપ્રધાન

Updated: Oct 22nd, 2022

GS TEAM


Google News
Google News
'દેશમાં પહેલી વાર ખાદી- ગ્રામોદ્યોગ લાખ કરોડનો આંક વટાવ્યો છે' : વડાપ્રધાન 1 - image


- ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે, મા લક્ષ્મીની કૃપા રહે : મોદી

- મોટરોથી શરૂ કરી મેટ્રો કોચ, ટ્રેનની બોગી, ડિફેન્સ સરંજામ સહિત અનેક ક્ષેત્રે નિકાસ વધી છે; ભારત આયાતકારને બદલે નિકાસકાર બન્યું છે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'ગામડાઓમાં રોજગાર નિર્માણનું એક ઉદાહરણ આપણા ખાદી અને ગ્રામોદ્યોગ છે. દેશમાં પહેલી જ વાર ખાદી અને ગ્રામોદ્યોગે રૂા. ૧ લાખ કરોડનો આંક વટાવ્યો છે. આમાં, આપણા વાહનોના સૌથી મોટા કામો છે.'

વડાપ્રધાને આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ૧૦ લાખ લોકોના ભર્તી મેળાનો આરંભ કરતા ૭૫,૦૦૦ લોકોને નિયુક્તિ પત્રો આપ્યા હતા. તે દરમિયાન તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આ ભર્તી થઈ રહી છે.

સંબોધનના પ્રારંભમાં જ તેઓએ કહ્યું હતું કે, 'આજે ભારતની યુવા શક્તિ માટે મહત્ત્વનો અવસર છે. છેલ્લા ૮ વર્ષમાં દેશમાં રોજગાર, સ્વરોજગાર અભિયાન ચાલી રહ્યું છે તેની આ એક કડી છે.'

આજે ધન તેરશ નિમિત્તે તેઓએ દેશવાસીઓને વધાઈ આપતાં તેમણે કહ્યું હતું કે, ભગવાન ધન્વંતરી આપ સર્વેને ખુશ રાખે અને મા લક્ષ્મીની કૃપા આપ પર વરસી રહે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.

વડાપ્રધાને નિયુક્તિ પત્રો 'સોંપતા' તેમ પણ કહ્યું હતું કે, સરકારી વિભાગોમાં આટલી તત્પરતા અને આટલી એફીશીયન્સી આવી છે તેની પાછળ ગત ૭-૮ વર્ષની મહેનત છે. કર્મયોગીઓનો વિરાટ સંકલ્પ છે.

ભારત આજે દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બની રહ્યું છે. ૭- ૮ વર્ષમાં આપણે ૧૦મા નંબર ઉપરથી પાંચમા નંબર સુધીની છલાંગ મારી છે કારણ કે ૮ વર્ષમાં અર્થતંત્રમાં આવેલી તે ક્ષતિઓ દૂર કરી છે જે રૂકાવટ ઉભી કરી રહી હતી.

સ્ટાર્ટઅપ્સ વિષે તેઓએ કહ્યું હતું કે, '૨૦૧૪ સુધીમાં દેશમાં માત્ર થોડાક સો જેટલા જ સ્ટાર્ટઅપ્સ હતા આજે તે સંખ્યા ૮૦ હજારથી પણ વધી છે. ભારત અનેક બાબતોમાં આત્મનિર્ભર બની ગયું છે તેટલું જ નહી પરંતુ હવે તે આયાતકારને બદલે નિકાસકારની ભૂમિકામાં આવી રહ્યું છે. અનેક ક્ષેત્રે 'ગ્લોબલ હબ' બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.'

વડાપ્રધાને તેઓના સંબોધનમાં તેમ પણ જણાવ્યું કે, આજે રોજગારના નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. આજે મોટરોથી શરૂ કરી મેટ્રો- કોચ, ટ્રેનના ડબ્બા, સંરક્ષણ સાધનો જેવા અનેક ક્ષેત્રે નિકાસ વધી રહી છે. ભારતની ફેક્ટરીઓની સંખ્યા વધી રહી છે, સાથે રોજગારી પણ વધી રહી છે. સ્થાનિક સ્તરે પણ યુવાનો માટે રોજગારની અનેક તકો વધી રહી છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ટુરિઝમ સેક્ટર હોય સર્વેમાં તક વધી રહી છે. આસ્થાના, અધ્યાત્મના અને ઐતિહાસિક મહત્ત્વના સ્થળો વિકસિત થઈ રહ્યા છે. તેથી પણ રોજગાર વધ્યો છે.

Tags :