Mumbai

સિયાનો દાવોઃ મેં કેતનને બધું કહ્યું હતું પણ તે સગાઈ તોડવા તૈયાર ન થયો

By GS Team
26 Jun 20263 mins read
TukuTouch Logo
પુણેના રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની લોહગઢ કિલ્લા પર હત્યા કેસમાં નવા ખુલાસા થયા છે. આરોપી સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ ગુનો કબૂલ્યો છે. સિયાએ કેતનને પ્રેમસંબંધ વિશે જણાવ્યું હતું, પરંતુ કેતને સગાઈ તોડવાની ના પાડી હતી. સિયા અને ચેતનને નશાની આદત હતી, અને તેમણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સિયાનો દાવોઃ મેં કેતનને બધું કહ્યું હતું પણ તે સગાઈ તોડવા તૈયાર ન થયો

ચેતનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સિયાના પરિવારનો વિરોધ હતો

સિયા અને કેતનના પરિવાર ૩૫ વર્ષથી પરસ્પર પરિચયમાં ઃ  સિયા અને ચેતન બંનેનેે નશાની આદત પડી ગઈ હતીે

મુંબઈ -      પુણેના  કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી સિયા ગોયલે પોલીસ સમક્ષ કબૂલાત કરતા દાવો  કર્યો છે કે તેણે કેતનને તેના પ્રેમ સંબંધ વિશે પહેલાથી જ જણાવી દીધું હતું.

      પુણેના પ્રખ્યાત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની  લોહગઢ કિલ્લા પર હત્યા  કરવાના કેસમાં હપોલીસ કસ્ટડીમાં રહેલા સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો છે.તપાસમાં ખુલાસો થયો છે કે સિયા આ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છે.

સિયાએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હોવાનું કહેવાય છે કે    મેં કેતનને પહેલાથી જ સ્પષ્ટપણે કહ્યું હતું કે હું ચેતનને પ્રેમ કરું છું અને હું  આ લગ્ન કરવા માંગતી  નથી.જોકે,  ત્યારે કેતને તેને કહ્યું હતું કે હવે  સગાઈ તોડી શકાય નહીં. મારો પરિવાર એટલો શ્રીમંત છે કે તું  ગમે ત્યાં ભાગી જઈશ તો પણ  તેઓ તને શોધી કાઢશે.

 પૂછપરછ દરમિયાન સિયાએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડ ચેતનની આથક પરિસ્થિતિ નબળી હતી. આથી તેનો પરિવાર આ સંબંધનો સખત વિરોધ કરતો હતો. કેતન ખૂબ જ શ્રીમંત અને પ્રતિતિ પરિવારમાંથી હોવાથી તેના માતાપિતાએ વિચાર્યું કે તેની સાથે લગ્ન કરવાથી સિયાનું જીવન સુરક્ષિત બનશે.

    તપાસમાં એ પણ બહાર આવ્યું કે સિયા અને ચેતન બંનેને  નશાની આદત પડી ગઈ હતી. હત્યાના દિવસે ચેતન પોતાનો મોબાઇલ ફોન દુકાનદાર પાસે મૂકી ગયો હતો અને કર્મચારીનો મોબાઇલ ફોન લઈને કિલ્લામાં આવ્યો હતો. તેણે પોતાના ચહેરા પર માસ્ક પણ લગાવી રાખ્યો હતો. બીજી તરફ સિયા કેતનના મૃત્યુ પછી શોક વ્યક્ત કરવા માટે તેના ઘરે પહોંચી ત્યારે  બદલાયેલા વર્તનને કારણે  કેતનની બહેનને  તેના પર શંકા ગઈ હતી.

    અગ્રવાલ પરિવારને  ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે ૩૫  વર્ષથી વ્યવસાયિક સંબંધ ધરાવતા ગોયલ પરિવારની પુત્રી તેમના એકમાત્ર પુત્ર માટે કાળ બનશે.

     કેતનના પિતા વિશાલ અને દાદા રામવિલાસ અગ્રવાલે માંગ કરી છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા  આપવામાં આવે. પોલીસ હવે કેસના ટેકનિકલ પુરાવા અને અન્ય પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

સિયા અને ચેતને આગલા દિવસે કેફેમાં બેસી ફૂલપ્રૂફ મર્ડર પ્લાન ઘડયો હતો

તા. ૧૭મીની સાંજના કેફેમાં બેસી સંતલસ કરતાં હોય તેવાં સીસીટીવી ફૂટેજ આવ્યાં

સિયા અને તેના પ્રેમી ચેતને અગાઉ એકથી વધુ વખત કેતનની હત્યાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ તેમાં સફળ થયા ન હતા. સિયાની જીદ પરથી તા. ૧૮મીએ લોહગઢમાં વધુ એક ટ્રીપ ગોઠવાઈ હતી. તેના આગલા દિવસે તા. ૧૭મીએ  સાંજે સિયા  અને ચેતન પુણેના કોંધવા વિસ્તારનાં એક કેફેમાં મળ્યાં હતાં. આ કેફેમાં બંને સાથે બેસીને સંતલસ કરતાં હોય તેવાં સીસીટીવી ફૂટેજ  બહાર આવ્યાં છે. તેમાં બંનેએ સાથે બેસીને હત્યાનો ફૂલપ્રૂફ પ્લાન ઘડયો હોવાનું કહેવાય છે. સિયા અને કેતન ક્યારે ત્યાં પહોંચશે, ચેતન ત્યાં કેવી રીતે તેમની આસપાસ રહેશે, ચેતન કેતનને વહેમ ન જાય તે માટે કેટલું સલામત અંતર જાળવશે, સિયા  ધક્કો મારવા  માટે કેવો સંકેત આપશે, કેતનને ધક્કો મારી દીધા બાત તેઓ પોલીસ તથા લોકોને શું કહેશે તે વિશે રજેરજની વિગતો નક્કી થઈ હોવાનું મનાય છે.