Get The App

વિરારની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટવાળી દવાઓનો સ્ટોક

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
વિરારની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટવાળી  દવાઓનો સ્ટોક 1 - image

ભાજપના કોર્પોરેટરોએ દરોડો પાડયો

આ દવાઓ હવે સપ્લાયરને પરત મોકલી દેવામાં આવશે તેવું મ્યુનિ.નું ગાણું

મુંબઈ - વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ દવા કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ, એક્સપાયર દવાઓ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના કોર્પોરેટરોએ સર. ડી એમ પેટિટ હોસ્પિટલમાં આવી દવાઓનો સ્ટોક જપ્ત કર્યો છે. જો કે, કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે આ મુદતવીતી દવાઓ કંપનીને પરત કરવામાં આવશે.

        વસઈ-વિરાર મ્યુનિસિપલ  કોર્પોરેશને આરોગ્ય વિભાગને દવાઓ સપ્લાય કરવા માટે સપ્લાયર્સની નિમણૂક કરી છે અને તેમના દ્વારા કોર્પોરેશનની હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને માતા અને બાળ સંભાળ કેન્દ્રોને દવાઓ સપ્લાય કરવામાં આવે છે. જો કે, ભાજપના કોર્પોરેટરોને માહિતી મળી હતી કે વસઈમાં કોર્પોરેશનની સર ડી એમ પેટિટ હોસ્પિટલમાં મુદતવીતી દવાઓ ઉપલબ્ધ છે. શુક્રવારે ભાજપના કોર્પોરેટરોએ હોસ્પિટલની મુલાકાત લીધી અને દવાઓની તપાસ કરી ત્યારે ઘણી દવાઓ મુદતવીતી મળી આવી હતી. નગરપાલિકા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહી છે. ભાજપના જૂથ નેતા અશોક શેલ્કેએ આરોપ લગાવ્યો છે કે જેની એક્સપાયરી ડેટ સમાપ્ત થવા જઈ રહી છે તે દવાઓ જાણી જોઈને મંગાવવામાં આવી રહી છે. નગરપાલિકાના ફાર્માસિસ્ટ ૧૩ વર્ષથી કામ કરી રહ્યા છે. તેથી, શેલ્કેએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ પાછળ મોટા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. આ મામલે પોલીસને બોલાવવામાં આવ્યા બાદ, તેમણે દવાઓના નમૂના જપ્ત કર્યા. પોલીસે કહ્યું કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 આ બાબતે આરોગ્ય અધિકારી ડા. ભક્તિ ચૌધરીએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સર ડીએમ પેટિટ હોસ્પિટલના પ્રમુખ ડા. રાની બદલાનીએ દાવો કર્યો હતો કે અમે દર્દીઓને તપાસીએ છીએ અને દવાઓ આપીએ છીએ. કેટલીક દવાઓની એક્સપાયરી ડેટ માર્ચમાં સમાપ્ત થઈ જશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે અમે તે દવાઓ તે પહેલાં દર્દીઓને આપીશું

નકલી દવા કેસમાં ગુનો..

ગયા વર્ષે, વસઈ ઈસ્ટના સાતિવલીમાં માતા-બાળ સંગોપન કેન્દ્રમાં નકલી દવાઓનો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વાલીવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, એવું જાણવા મળ્યું છે કે મહાનગરપાલિકા આરોગ્ય બાબતો પ્રત્યે ગંભીર નથી.