Mumbai

બળાત્કારીના મોત બદલ મહિલાને હત્યા માટે દોષિત ઠેરવતો ચુકાદો રદ

By GS TEAM
28 Oct 20253 mins read
બળાત્કારીના મોત બદલ  મહિલાને હત્યા માટે  દોષિત ઠેરવતો ચુકાદો રદ

કેસ પાછો ખેંચવા હેરાનગતિ કરતાં ગળં કાપી નાખ્યું હતું

ઉશ્કેરણી બાદ કરાયેલી ઈજાથી મૃત્યુ નીપજે તો તે સદોષ મનુષ્યવધ ગણી શકાય, હત્યા નહિઃ હાઈકોર્ટે અપવાદ ધ્યાનમાં લીધો

મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક મહિલાને હત્યા માટે દોષિત કરતા ચુકાદાને રદ કરી તેને સદોષ મનુષ્ય વધ બદલ દોષિત ગણાવતો ચુકાદો આપ્યો હતો.  મહિલાએ એક પુરુષની હત્યા કરી હતી આ પુરુષ તેને પોતાની સામેના બળાત્કારનો કેસને પાછો ખેંચવા માટે મહિલાને હેરાન કરતો રહ્યો હતો. નાગપુર બેન્ચના ન્યાયાધીશ ઉમલા જોશી-ફાળકે અને નંદેશ દેશપાંડેની ડિવિઝન બેન્ચે વાશિમની એડિશનલ સેશન્સ કોર્ટના ૨૧ ડિસેમ્બર, ૨૦૦૫ના ચુકાદાને રદ કર્યો હતો, જેમાં મહિલાને માધાઓ ગોટે નામની વ્યક્તિની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી. 

 ન્યાયાધીશોએ નોંધ્યું કે અપીલકર્તા મહિલાએ ગોટે વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો, જેણે લગ્નના વચન પર તેની સાથે જાતીય સંબંધો જાળવી રાખ્યા હતા પરંતુ બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તે તેણીને ફરિયાદ પાછી ખેંચવા માટે હેરાન કરતો રહ્યો અને ૨૨ જૂન, ૨૦૦૪ ના રોજ, તે અપીલકર્તાના ઘરે ગયો અને તેને તેની ફરિયાદ પાછી ખેંચવા માટે આગ્રહ કર્યો હતો. નિરાશ થઈને, મહિલાએ રેઝરથી તેનું ગળું કાપી નાખ્યું અને પછી તેના માથા પર મુસળી (ખાલબટ્ટા) વડે માર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું, એમ બેન્ચે નોંધ્યું. ટ્રાયલ કોર્ટે એ હકીકતની પણ નોંધ લીધી કે ટ્રાયલ કોર્ટે પડોશી પુરુષ સમક્ષ મહિલાની અદાલત બાહ્ય કબૂલાત પર  આધાર રાખ્યો હતો કે તેણે માધાઓની હત્યા એટલા માટે કરી કારણ કે તે તેને કેસ પાછો ખેંચવા માટે આગ્રહ કરી રહ્યો હતો.   ૧૭ ઓક્ટોબરના પોતાના ચુકાદામાં  બેન્ચે કલમ ૩૦૦ ના 'અપવાદ-૧' ની નોંધ લીધી  હતી જે જણાવે છે કે જ્યારે ગુનેગાર ગંભીર અને અચાનક ઉશ્કેેરણીને કારણે પોતાનો આત્મ-નિયંત્રણ ગુમાવી દે છે અને તેના દ્વારા કરાયેલી કોઈ ઈજા વ્યક્તિના મૃત્યુ તરફ દોરી જાય  તો તેને હત્યા ગણી શકાય નહીં.  ઉશ્કેેરણી એ એક બાહ્ય ઉત્તેજના છે જે આત્મ-નિયંત્રણ ગુમાવવાનું કારણ બની શકે છે. આવી ઉશ્કેેરણી અને પરિણામી પ્રતિક્રિયાને આસપાસના સંજોગો પરથી માપવાની જરૃર છે. ઉશ્કેરણી એવી હોવી જોઈએ જે ફક્ત ઉતાવળિયા અને ગરમ ગુસ્સાવાળા અથવા અતિસંવેદનશીલ વ્યક્તિને જ નહીં, પરંતુ શાંત સ્વભાવ અને સામાન્ય સમજ ધરાવતી વ્યક્તિને પણ નારાજ કરે,એમ બેન્ચે આદેશમાં જણાવ્યું હતું. 

 ફરિયાદ પક્ષનો કેસ એ હકીકત પર પણ આધારિત છે કે મૃતક ફરિયાદ પાછી ખેંચવાનો આગ્રહ કરી રહ્યો હતો અને તે દુર્ઘટનાપૂર્ણ રાત્રે પણ તે ફરિયાદ પાછી ખેંચવાનો આગ્રહ કરવા બદલ તેના ઘરે ગયો હતો, અને તેથી, તે પાછો ફર્યો નહીં અને તેનો મૃતદેહ મળી આવ્યો. તેથી, દલીલમાં તથ્ય છે કે આ કેસ કલમ ૩૦૦ ના અપવાદ ૧ હેઠળ આવશે. 

 પુરાવા પરથી એવું અનુમાન કરી શકાય છે કે, મૃતકના કૃત્યને કારણે આરોપીએ પોતાનો કાબુ ગુમાવ્યો અને મૃતક પર હુમલો કર્યો હતો કારણ કે લગ્નના વચન પર મૃતક દ્વારા તના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લગ્ન કરવામાં અસમર્થતા દર્શાવી હતી અને તેણીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આગ્રહ કર્યો હતો,એમ ન્યાયાધીશોએ અભિપ્રાય આપ્યો હતો.

 આ અવલોકનો સાથે, ન્યાયાધીશોએ મહિલાને હત્યાના આરોપમાંથીમુક્ત કરી  સદોષ મનુષ્યવધ માટે દોષિત ઠેરવી હતી.