Get The App

તુળજાભવાની નવરાત્રોત્સવને મુખ્ય રાજ્ય મહોત્સવનો દરજ્જો

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
તુળજાભવાની નવરાત્રોત્સવને મુખ્ય રાજ્ય મહોત્સવનો દરજ્જો 1 - image


ડ્રોન દ્વારા  ઝાકઝમાળભર્યો શો ૩૦૦ 

નવરાત્રિમાં દેશભરમાંથી ૫૦ લાખ ભાવિકો તુળજાપુર માતાજીના દર્શને આવે છે

મુંબઇ -  તુળજાભવાની દેવી શારદીપ નવરાત્રોત્સવને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના મુખ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો છે.

તુળજાપુર  સ્થિત તુળજાભવાની માતા મંદિરમાં ૨૨મી સપ્ટેમ્બરથી બીજી ઓકટોબર સુધી ધામધૂમથી  નવરાત્રોત્સવ ઉજવાશે. આ મહોત્સવ દરમ્યાન સ્થાનિક લોકકલા, ગોધળી ગીત, ભારૃડ, જાખડી મૃત્ય રજૂ કરવામાં આવશે. ભજન-કિર્તનની સ્પર્ધા તેમજ  ધાર્મિક -સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ નવરાત્રિમાં પહેલી જ વાર ૩૦૦ ડ્રોનની મદદથી  આકાશમાં ઝાકઝમાળ ભર્યો લાઇટશો યોજવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરના અને સ્થાનિક લોકકલાકારો દ્વારા વિવિધરંગી કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પર્યટન વિભાગની અધિકૃત વેબસાઇટ અને યૂ-ટ્યુબ ચેનલ પર આ બધા જ કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

નવરાત્રિમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી  તેમજ ગુજરાત, કર્ણાટક, તેલંગણા સહિત દેશભરમાંથી ૫૦ લાખથી વધુ ભાવિકો તુળજાભવાની માતાના દર્શને આવે છે.


Tags :