Get The App

સિદ્ધિવિનાયક ગણપતિને 35 કિલો સોનાનું છત્ર ચડાવાયું

- પાટનગર નવી દિલ્હીના અનામી ભક્તે મોકલાવ્યું

- મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત મંદિરોમાંનું એક છે

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
સિદ્ધિવિનાયક ગણપતિને 35 કિલો સોનાનું છત્ર ચડાવાયું 1 - image

મુંબઇ તા.21 જાન્યુઆરી 2020, મંગળવાર

મુંબઇના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરને 35 કિલો સોનાની ભેટ મળી હતી.

ગણપતિના મસ્તક પર છત્ર રૂપે આ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. પાટનગર નવી દિલ્હીના એક અનામી ભક્તે પોતાનું નામ નહીં આપવાની શરતે આ છત્ર મોકલાવ્યું હતું.

સિદ્ધિવિનાયક ગણપતિને 35 કિલો સોનાનું છત્ર ચડાવાયું 2 - imageઆ ગણપતિ મંદિરના ગણપતિને હજારો શ્રદ્ધાળુઓ માને છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના કુટુંબીજનો જેવા કેટલાક શ્રદ્ધાળુઓ તો પોતાના નિવાસસ્થાનેથી પગપાળા ચાલીને આ મંદિરના દર્શને આવે છે.

સિદ્ધિવિનાયક ગણપતિને 35 કિલો સોનાનું છત્ર ચડાવાયું 3 - imageમહારાષ્ટ્રના સૌથી શ્રીમંત મંદિરોમાં આ મંદિરની પણ ગણના થાય છે. દિલ્હીના ભક્તે 35 કિલો સોને મઢેલું છત્ર દાનમાં આપ્યું હતું. આ છત્રની કિંમત 14 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ છત્રને મંદિરની છત પર લગાડવાની એના સંચાલકોની યોજના છે.

મંદિરના સંચાલકોએ આ ભક્તની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

Tags :