શિવરાજ્યાભિષેક હવેથી તારીખ નહીં તિથિ અનુસાર ઉજવાશે
અત્યાર સુધી ૬ જૂનના રોજ ઉજવાતો હતો હવે તિથિ જ્યેષ્ઠ સુદ-૧૩ના રોજ ઉજવાશે
મુંબઇ - છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ઉજવણી તા.૬ જૂનના બદલે હવે તેમની હિંદુ પંચાગ મુજબ તિથિ જ્યેષ્ઠ શુદ તેરસે ઉજવવામાં આવશે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંજૂરી આપી છે.
મહારાષ્ટ્રની સ્વતંત્રતા અને સંસ્કૃતિના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજ રાજ્ય માટે આરાધ્ય દેવતા છે. તેમની હિંમત નેતૃત્વના ગુણો અને ન્યાય પ્રત્યેનો પ્રેમ મહારાષ્ટ્રના લોકો માટે પ્રેરણાદાયક છે. શિવાજી મહારાજે જનતાના ઇચ્છા અને અભિપ્રાય મુજબ સ્વરાજ્યની સ્થાપના કરી હતી.
મહારાષ્ટ્રના ઇતિહાસમાં એક આદર્શ રાજા તરીકે ઓળખાતા શિવાજી મહારાષ્ટ્રનો રાજ્યાભિષેક તા.૬ જૂન ૧૬૭૪ના રોજ રાયગઢ કિલ્લા પર પાડયો હતો. આથી આ દિવસે રાજ્યમાં શિવ પ્રેમી તા.૬ જૂનના રોજ રાજ્યભરમાં શિવરાજ્યાભિષેકની ઉજવણી કર છે. તે કેટલાક તિથિ મુજબ પણ ઉજવે છે. ૬ જૂન ૧૬૭૪ના રોજ રાજ્યાભિષેક ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર નિશ્ચિત થયો હતો. આથી સરકારી દસ્તાવેજ અને શાળાના પાઠયપુસ્તકોમાં આ તારીખનો ઉલ્લેખ છે. પરંતુ રાજ્યાભિષેક હિંદુ પંચાગની તિથિ જ્યેષ્ઠ સુદ ૧૩ ના રોજ થયો હતો. આથી કેટલાક તિથી અનુસાર રાજ્યાભિષેકની ઉજવણી કરે છે. આથી હવે રાજ્યમાં એક સમાન તેમની તિથિ અનુસાર રાજ્યાભિષેકની ઉજવણી કરવાની માન્યતા સી.એમે આપી હતી. આના પગલે હવે રાજ્યમાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ૯ જૂનના રોજ કરાશે.
આ અંગે સરકારના કાયદા અને ન્યાય વિભાગે જી.આર. સુદ્ધા બહાર પાડયો છે. જેના અંતર્ગત સર્વ કાર્યાલયો તેમજ રાજ્યભરની સર્વ જિલ્લા અને સત્ર ન્યાયાલય, સરકારી વકીલના કાર્યાલયમાં ૯ જૂનના રોજ તિથી પ્રમાણે શિવરાજ્યાભિષેક દિન તરીકે ઉજવણી કરાશે.