સિનિયર એક્ટર મનમોહન માહિમકરે ઇચ્છા-મૃત્યુની માગણી કરી
4000 રૃપિયા પેન્શનમાં જીવવું કેમ ?
મરાઠી, હિન્દી, ગુજરાતી ફિલ્મ અને સિરિયલોના અભિનેતાએ રાષ્ટ્રપતિને અરજી કરી
મુંબઇ : મરાઠી, હિન્દી, ગુજરાત ફિલ્મો અને સિરિયલોમાં ભૂમિકા ભજવી ચૂકેલા વરિષ્ઠ અભિનેતા મનમોહન માહીમકરે કામ મળવાનું બંધ થતા ચાર હજારના પેન્શનમાં જીવવાનું અઘરૃં હોવાથી ઇચ્છા-મૃત્યુ માટે રાષ્ટ્રપતિને અરજી કરી છે.
૭૫ વર્ષના માહીમકર ગિરગાવ ઠાકુરદ્વારની ચાલીમાં અનેક વર્ષોથી એકલા જ રહે છે. વધતી ઉંમરને કારણે ફિલ્મો અને સિરિયલમાં કામ મળવાનું બંધ થયું. એટલે સરકાર તરફથી મળતું, ૩,૧૫૦ રૃપિયા પેન્શન અને મરાઠી ચિત્રપટ મહામંડળ તરફથી આપવામાં આવતા ૧ હજાર એપ કુલ ચાર હજારમાં જેમતેમ ગુજારો કરવો પડે છે. અવિવાહિત રહેલા આ અભિનેતાની રહી સહી બચત પણ વપરાઇ ગઇ છે. રૃમનું ભાડુ ૧૩ હજાર છે, લગભગ અઢી લાખ ભાંડુ ચડી ગયું છે.
૧૯૮૯માં 'અશી જાતે અક્કલ' ફિલ્મથી કારકિર્દીની શરૃઆત કરનારા માહીમકરે મરાઠી ફિલ્મ જગતના મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. પણ અત્યારે તેમની સ્થિતિ તરફ જોવાની કોઇને દરકાર નથી કરી. અત્યારે પણ ફિલ્મ કે સિરિયલમાં નાનું-મોટું કામ મળે તો દિવસના અઢી-ત્રણ હજાર કમાઇ શકે એમ છે એમ તેમણે કહ્યું હતું. અને કામ ન મળે તો આવા અપમાનજનક સ્થિતિમાં રહેવા કરતા ઇચ્છા-મૃત્યુની રાષ્ટ્રપતિ પરવાનગી આપે એવી માગણી સાથેની અરજી તેમણે રાષ્ટ્રપતિને મોકલાવી છે.