6 વર્ષમાં સાયબર ઠગાઈના 700 કરોડ રુપિયા ફ્રિઝ કરાયા
અદાલતી પ્રક્રિયા બાદ પીડિતોને પૈસા પાછા મળશે
મુંબઈમાં ૨૦૨૪નાં એક જ વર્ષમાં સાયબર ક્રાઈમની ૫૪ હજાર ફરિયાદો
મુંબઈ - મહારાષ્ટ્ર સાયબર પોલીસેે ૨૦૧૯ થી ૨૦૨૫ વચ્ચે નોંધાયેલા ઓનલાઈન છેતરપિંડીના કેસોના સંદર્ભમાં રુ. ૭૦૦ કરોડથી વધુના ભંડોળને ફ્રી કર્યું છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ અને ૧૯૪૫ દ્વાર મળેલી ફરિયાદોના આધારે કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, બેંકો, ગેટવે પેમેન્ટ અને ડિજીટલ વોલેટ સેવા પ્રદતાઓની મદદથી ફ્રિઝ થયેલા ભંડોળને શોધી કાઢવામાં આવ્યું હતું અને તેને બ્લોક કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ભંડોળ હાલમાં કાનૂની કાર્યવાહી હેઠળ છે. અદાલતી પ્રક્રિયા બાદ પીડિતોને તેમનાં નાણાં પાછાં મળી શકે છે.
મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા સંચાલિત ૧૯૩૦ હેલ્પલાઈન રાજ્યભરમાંથી ક્રાઈમ સંબંધિત ફરિયાદોનું સંચાલન કરે છે. તેનું સંચાલન મહાપે, નવી મુંબઈમાં સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ચોવીસ કલાક કરવામાં આવે છે. જ્યાં ૧૫૦ થી વધુ સાયબર નિષ્ણાંતો અને સહાયક સ્ટાફ તૈનાત છે. જેમાં ફરિયાદ મળતાં જ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા સંબંધિત બેંકો અને કાયદા અમલીકરણ એજન્સીઓને તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે.
આ બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસ શંકાસ્પદ વ્યવહારોને અટકાવવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથે રીઅલ ટાઈમમાં સંકલન પણ કરે છે. આ દરમિયાન કોઈ સંબંધિત છેતરપિંડીભર્યા પ્રવૃત્તિ મળી આવતાની સાથે જ સંબંધિત બેંકોને વ્યવાહરો પર પૂર્વાધિકાર રાખવા અને રોક લગાવવા સૂચનાઓ મોકલવામાં આવે છે.
મહારાષ્ટ ્ર સાયબર સેલના ડેટા મુજબ, સાયબર ફ્રોડ માટે મુંબઈ, પુણે અને થાણે ટોચના હોસ્ટપોટ્સ તરીકે ઉભરી આવ્યા છે. જેમાં ફક્ત ૨૦૨૪માં મુંબઈમાં ૫૪ હજારથી વધુ સાયબર છેતરપિંડીની ફરિયાદો, પુણેમાં ૨૬ હજારથી વધુ ફરિયાદો અને થાણેમાં ૨૩ હજારથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. વધુમાં નવી મુંબઈ અને પિંપરી- ચિંચવડમાં જેવા અન્ય શહેરી વિસ્તારોમાં પણ સાયબર ક્રાઈમની ઘટનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. જે મજબૂત ડિજિટલ તકેદારીની જરુરિયાત પર ભાર મૂકે છે.