26 ફેબુ્રઆરીના રોજ ઉદયપુરમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન
મુંબઇ - રશ્મિકા મંદાના અને ્ વિજય દેવરકોંડાના લગ્નની તારીખના કુતુહલનો અંત આવ્યો છે. યુગલ ૨૬ ફેબુ્રઆરીના રોજ ઉદયપુરમાં લગ્ન કરવાના છે. જેને અભિનેત્રીએ આડકતરી રીતે સમર્થન આપ્યું છે. તેમના લગ્નમાં ફક્ત અંગત પરિવારજનોને જ આમંત્રણ આપવામાં ાવશે. હજી સુધી તેમણ ે તેલુગુ તેમજ હિંદી સિનેમાના કલાકારોને પણ આમંત્રણ પાઠવ્યું નથી. લગ્ન પછી તેઓ હૈદરાબાદ અને મુંબઇમાં રિસેપ્શનના આયોજનની તૈયારી કરી રહ્યા છે.
તેમના લગ્નમાં અંગત પરિવાજનો અને ફક્ત ખાસ મિત્રોને જ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લગ્ન માટે રશ્મિકા અને વિજયે હાલ શૂટિંગથી બ્રેક લીધો છે. જોકે રશ્મિકા પાસે પાઇપલાઇનમાં ફિલ્મો હોવાથી તે લગ્ન પછી જલદીજ કામ પર પાછી ફરશે.


