આ જ ફલેટમાં રણબીર-આલિયાનાં લગ્ન થયાં હતાં
રણબીર,
આલિયા સહિત સમગ્ર પરિવાર કૃષ્ણ રાજ બંગલોમાં શિફ્ટ થઈ ચૂક્યો છે
મુંબઈ
- રણબીર કપૂરે તેનો મુંબઈના
બાંદ્રા ખાતેનો 'વાસ્તુ ' બિલ્ડિંગનો
ફલેટ મહિને ૧૧ લાખના ભાડે આપી દીધો હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડિંગમાં રણબીર અને આલિયાનાં લગ્નનો પ્રસંગ યોજાયો
હતો. હવે રણબીર, આલિયા તથા નીતુ સિંહ સહિત સમગ્ર પરિવાર નવા 'કૃષ્ણ રાજ' બંગલોમાં શિફ્ટ થઈ ચૂક્યાં હોવાથી રણબીરે
આ પ્રોપર્ટી ભાડે આપી દેવાનું નક્કી કર્યુું હોવાનું માનવામાં આવે છે.
રણબીરે જે ફલેટ ભાડે આપ્યો છે તે ૨૪૬૦ ચોરસ ફૂટનો છે અને સાતમા માળે આવેલો
છે. રણબીરે ૨૦૧૬માં ૩૫ કરોડમાં આ ફલેટ વેચાતો લીધો હતો. શાહરુખની પત્ની ગૌરી ખાને
આ ફલેટના ઈન્ટિરિયરનું કામ કરેલું છે.
રણબીરે ફલેટ પાંચ વર્ષ માટે ભાડે આપ્યો છે. આ માટે તેણે ૪૫ લાખ રુપિયાની
ડિપોઝિટ પણ મેળવી છે.


