Get The App

ખરાત કેસમાં ઈડી દ્વારા પ્રતિભા ચાકણકરની આઠ કલાક પૂછપરછ

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
ખરાત કેસમાં ઈડી દ્વારા પ્રતિભા ચાકણકરની આઠ કલાક પૂછપરછ 1 - image

પ્રતિભાના પુત્ર તન્મયને પણ ઈડી દ્વારા  સમન્સ 

પ્રતિભાના ખાતાંમાં ૪૦ લાખના વ્યવહારો ઃ બંને વચ્ચે ૨૦૦થી વધુ કોલ્સ તથા સંદેશાઓની પણ આપ લે વિશે તપાસ

મુંબઈ -      સ્વયંભૂ ગોડમેન અશોક ખરાત સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસમાં ઇડી દ્વારા પ્રતિભા ચાકણકરની આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સી બહુવિધ બેંક ખાતાઓ દ્વારા કથિત ૪૦ લાખ રૃપિયાથી વધુના વ્યવહારોની તપાસ કરી રહી છે.તેમના પુત્ર તન્મયને પણ ચાલુ તપાસના ભાગ રૃપે સમન્સ પાઠવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને એનસીપી  નેતા રૃપાલી ચાકણકરની નાની બહેન પ્રતિભા ચાકણકર સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ સ્વયંભૂ ગોડમેન અશોક ખરાત સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં હાજર થયા હતા. 

      તપાસથી પરિચિત અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇડીએ ચાકણકર અને તેમના પુત્ર સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ઓળખી કાઢયા છે.એમાંથી બે તેમના નામે અને બે તન્મયના નામે છે. નાસિકમાં સમતા નગરી સહકારી પંતસંસ્થામાં આ ખાતા છે.

      આ ચાર ખાતા બે સહકારી ક્રેડિટ સોસાયટીઓમાં ૧૩૪ થી વધુ શંકાસ્પદ ઘોસ્ટ  અથવા પ્રોક્સી ખાતાઓના વિશાળ નેટવર્કનો ભાગ છે.જેનો ઉપયોગ ખરાત દ્વારા સહકારી બેંકિંગ ચેનલો દ્વારા ભંડોળને ડાયવર્ટ  કરવા માટે કરવામાં આવતો હોવાનો આરોપ છે. આ ખાતાઓમાં ખરાતને નોમિની તરીકે દર્શાવવામાં આવ્યો હતો, અને ખાતું ખોલાવવા અને સંચાલન પ્રક્રિયા દરમિયાન તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

ચાકણકરે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે  તેણે અને તેના પુત્રએ લગભગ બે વર્ષ પહેલાં ખરાતની મુલાકાત દરમિયાન ધામક અથવા યાત્રાધામ સંબંધિત હેતુઓ માટે તેમના આધાર અને પાન કાર્ડની વિગતો સબમિટ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે આ દસ્તાવેજોનો દુરુપયોગ તેમની જાણ વગર છેતરપિંડીથી  ખાતા ખોલવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. ચાકણકર અને ખરાત વચ્ચે એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ વચ્ચે ૨૩૦થી વધુ કોલ્સ તથા મેસેજની આપલે થઈ હતી તેની પણ તપાસ થઈ રહી છે.