Get The App

સાંસદ અને અભિનેતા અરવિંદ ત્રિવેદીની ચિરવિદાય

Updated: Oct 6th, 2021

GS TEAM


Google News
Google News
સાંસદ અને અભિનેતા અરવિંદ ત્રિવેદીની ચિરવિદાય 1 - image


થિયેટર, ફિલ્મો અને ટીવીના લોકપ્રિય અભિનેતા

300 જેટલી હિન્દી-ગુજરાતી ફિલ્મો અનવે ગુજરાતી નાટકોના મહારથી

મુંબઈ : ૧૯૮૬ની લોકપ્રિય પૌરાણિક  સીરિયલ 'રામાયણ'માં  રાવણનું પાત્ર  ભજવી અત્યંત  લોકપ્રિય  બનેલી પીઢ અભિનેતા  અરવિંદ ત્રિવેદીનું  મંગળવારે  રાતે   હૃદયરોગનો   હુમલો થવાથી નિધન થયું  હતું. તેઓ ૮૨ વર્ષના  હતા તેઓ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના નાના ભાઈ હતા.

આ અભિનેતાના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીના  જણાવ્યા મુજબ  સદ્ગત  અભિનેતા  ઘણાં લાંબા સમયથી   બિમાર રહેતા હતા અને તેમણે મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે કાંદિવલીમાં  આવેલા  તેમના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

તેમને વય સંબંધિત  ઘણી આરોગ્યલક્ષી  તકલીફો હતી અને  તેને કારણ ેતેમની તમિયત  સારી નહોતી રહેતી. આ કારણે અગાઉ  તેમને  હોસ્પિટલમાં  દાખલ કરાયા હતા અને  હજી થોડા દિવસ પહેલાં  તેમને  ઘરે લાવવામાં આવ્યા હતા. હૃદયરોગના ગુમલાને કારણે મંગળવારે  રાતે ૧૦થી ૧૦.૩૦ દરમિયાન તેમનું નિધન થયું હતું. એમ કૌસ્તુભે  જણાવ્યું  હતુંં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સદ્ગત અભિનેતા   અરવિંદ ત્રિવેદીને અંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ 'અસાધારણ અભિનેતા' હતા અને જાહેર સેવામાં રત રહેતા હતા.

અભિનય કારકિર્દી ઉપરાંત  ૧૯૯૧માં  અરવિંદ  ત્રિવેદી સાબરકાંઠાની  સંસદીય   બેઠક  પરથી ભાજપના ઉમેદવાર  તરીકે ચૂંટાઈ  આવ્યા હતા  અને તેમણે  સાંસદ  તરીકે ૧૯૯૬ સુધી સેવા આપી હતી.

આપણે અપવિંદ ત્રિવેદીને ગુમાવ્યા   છ.ે તેઓ  માત્ર એક અસાધારણ અભિનેતા જ નહીં, પણ લોકોની સેવા માટે  સદા તત્પર રહેતા હતા.   'રામાયણ' સિરીયલમાં  તેમણે જે ભૂમિકા ભજવી  છે તેને કારણે  ભારતીય પેઢીઓમાં   તેઓ લાંબો  સમય સુધી યાદ રહેશે,  પ્રભુ તેમના આત્મા અને  તેમના પરિવારજનોને શાંતિ આપે એવી અભ્યર્થના. એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ટિવટ કરીને  જણાવ્યું હતું.

અરવિંદ ત્રિવેદીના  નિધન અંગે  'રામાયણ' સિરીયલના તેમના ઘણાં  સહકલાકારો  અને સેલિબ્રિટીઝે  સોશિયલ મિડીયા પર  તેમને  શ્રદ્ધાંજલિ  અર્પી  હતી.

'રામાયણ' સિરિયલમાં  રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૃણ ગોવિલે  સદ્ગતને  શ્રદ્ધાંજલિ આપતા તેમના સહકલાકાર , વ્હાલા મિત્ર તરીકે ઓળખાવી  તેઓ ઉદાર, ધાર્મિક  અને  સરળ વ્યક્તિ હોવાનું   જણાવ્યું  હતું.

એમાં કોઈ શક નથી કે તેઓ  સીધા સર્વોચ્ચ સ્થાને ગયેલા અને ભગવાન  રામનો સાથ તેમને  સાંપડશે, એમ અરૃણ ગોવિલે  ટ્વિટ કરીને જણાવ્યું  હતું.

અભિનેત્રી દીપિકા  ચિખલિયાએ  સોશિયલ મીડિયામાં  લખી જણાવ્યું  હતું કે અરવિંદ ત્રિવેદી (રાવણ)  અત્યંત ઉમદા  માનવી હતા. તેમની વિદાયથી  મારા હૃદયને આંચકો  લાગ્યો છે. પ્રભુ તેમના પરિવારજનોને  શાંતિ આપે.  દીપિકા  'રામાયણ' સિરીયલમાં  સીતાની બૂમિકા  ભજવતા હતા.

રામાયણમાં  લક્ષ્મણની ભૂમિકા  ભજવનારા અભિનેતા સુનીલ લહેરીએ જણાવ્યું હતું કે  આ સમાચાર સાંભળીને  ઊંડા શોકની લાગણી ઉદ્ભવી  છે. મેં મારા મિત્ર અને શુભેચ્છકને  ગુમાવ્યા છે.

આપણા બધા માટે ર્આ એક અત્યંત આઘાતજનક સમાચાર છે. આપણો પ્રેમાળ અરવિંદભાઈ (રાવણ) હવે આપણી  વચ્ચે રહ્યા  નથી. મેં તો મારા પિતાલ્લ્ય  વડીલને  ગુમાવ્યા છે.  મેં મારા માર્ગદર્શક શુભેચ્છક અને સદ્ગૃહસ્થને ગુમાવ્યા  છ,ે એમ તેમણે જણાવ્યું  હતું.

ધ સેન્ટ્રલ બોર્ડ ફોર  ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના  વડા તરીકે  પણ ૨૦૦૨-૦૩માં  અરવિંદ ત્રિવેદીએ સેવા બજાવી હતીત

અત્યારે સેન્સર બોર્ડના  અધ્યક્ષ  પ્રસુન્ન જોષી  છે એમ તેમણે  પણ સદ્ગતને  ટ્વિટર પર  સ્મરણાંજલિ  અર્પી છે.

માનદ અરવિંદજીના નિધનના  સમાચાર સાંભળીને આંચકો લાગ્યો છે  તેઓ ઉત્તમ કલાકાર  હતા અને સીબીએફસીને કેટલાક વર્ષો સેવા પણ આપી હતી. એમ પ્રસુન્ન જોષીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું.

થિયેટર, ટીવી અને ફિલ્મોના અભિનેતા અરવિંદ ત્રિવેદીનું હૃદય રોગના હુમલાથી  નિધન થયું છે  એ અહેવાલ જાણી શોક ઉદ્ભવ્યો  છે  એમ ફિલ્મ સર્જક  અશોક પંડિતે જણાવ્યું  હતું.

અરવિંદ ત્રિવેદીએ ૩૦૦ જેટલી હિન્દી અને ગુજરાતી  ફિલ્મોમાં કામ કર્યું છે અને  રામાયણ  સિરિયલમાં  કામ કરી  જબરજસ્ત લોકપ્રિયતા મેળવી છે.

આ ઉપરાંત તેમણે 'વિક્રમ ઔર બૈતાલ' (૧૯૮૫) અને  'દેશ રે જોયા પરદેશ જોયા' નામની ગુજરાતી ફિલ્મ કરી હતી, જેને  જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી હતી.


Tags :