Get The App

મુંબઈના જળાશયોમાં માત્ર 10 ટકા પાણી - રિઝર્વ ક્વૉટા વપરાશે

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈના જળાશયોમાં માત્ર 10 ટકા પાણી - રિઝર્વ ક્વૉટા વપરાશે 1 - image


જોકે, પાણી કાપ  નહિ લાદવાનું પાલિકાનું  રટણ

બે દિવસમાં ભાતસા અને અપર વૈતરણાના રિઝર્વ  ક્વોટામાંથીે પાણી આપવામાં આવશે

મુંબઈ -  મુંબઈમાં ચોમાસાની ૧૫ દિવસ વહેલી એન્ટ્રી  થઈ ગઈ હતી પરંતુ મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોના સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદ પડયો નથી, ઉલ્ટાનું વરસાદ ખેંચાઈ જતાં બાષ્પીભવનના કારણે હવે ૧૦ જ ટકા પાણી બચ્યું છે. જોકે, મહાપાલિકાએ આગામી બે દિવસમાં રિઝર્વ ક્વૉટામાંથી પાણી પુરવઠો  ઉપાડવાનું શરુ કરવાની જાહેરાત કરી છે. 

પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ તુરંત પાણી કાપ મૂકવામાં નહીં આવે. ગયાં વર્ષની સરખામણીએ અત્યારે જળાશયોમાં જથ્થો વધારે છે તેમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. 

મુંબઈના જળાશયોમાં ૧૦ ટકા પાણી જ રહ્યું હોવાથી રાજ્ય સરકારે મુંબઈ મહાપાલિકાને ભાતસા અને અપર વૈતરણા ડેમમાંથી રિઝર્વ ક્વૉટાનું પાણી વાપરવાની પરવાનગી આપી છે. પરિણામે અપર વૈતરણામાંથી ૬૮ હજાર મિલિયન  લીટર અને ભાતસામાંથી ૧.૧૩ લાખ મિલિયન  લીટર પાણી ઉપલબ્ધ થશે.

મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, તુલસી તેમજ રાજ્ય સરકારના અપર વૈતરણા અને ભાતસામાંથી રોજ ૩,૯૦૦ એમ.એલ.ડી. (મિલિયન લીટર પરડે) પાણી પુરૃં પાડવામાં આવે છે. 

રિઝર્વ ક્વૉટામાંથી ૩૧મી જુલાઈ સુધી પાણીનો પુરવઠો પુરો પાડી શકાશે. એટલે હાલ તુરંત પાણી કાપ મૂકવાની શક્યતા ઓછી છે, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.


Tags :